________________
વિઘશાંતિ અને કુળાચાર માટે પણ હિંસા ન કરવી.
૧૦૭ કેટલાએક વિઘ શાંતિ માટે અને કેટલાએક કળાચારથી
હિંસા કરે છે, તેને આચાર્યશ્રી કહે છે કે, हिंसा विघ्नाय जायेत विघ्नशान्त्यै कृताऽपिहि ।
कुलाचारधियाप्येषा कृता कुलविनाशिनी ॥ २९ ॥ વિની શાંતિ થવા માટે કરાયેલી હિંસા પણ ઉલટી વિશ્વને માટે થાય છે અને કુળાચારની બુદ્ધિથી પણ કરાએલી હિંસા કુળને વિનાશ કરનારી થાય છે. ૨૯. .
अपि वंशक्रमायातां यस्तु हिंसां परित्यजेत् । स श्रेष्ठः सुलस इव कालसौकरिकात्मजः ॥ ३०॥
કાલસૌકરિકના પુત્ર સુલસની જેમ જે કુલકમથી (વંશપરં. પરાએ) આ વેલી પણ હિંસાને ત્યાગ કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે. ૨૦ - વિવેચન-સુલર્સ અને કાલસૌકરિક કેણ હતા અને સુલસે કુળક્રમે આવેલી હિંસાને ત્યાગ કેવી રીતે કર્યો તે પ્રસંગોપાત જણાવવું ઉચિત છે એમ જાણી તેની ટુંકી હકીક્ત આપવામાં આવે છે. મગઘદેશની રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતું હતું. તેને મહા બુદ્ધિના નિધાન સરખો બુદ્ધિમાન અભયકુમાર નામને કુમાર હતું. તે નગરીમાં કાલસૌકારિક નામને કસાઈ રહેતું હતું તેને સુલસ નામે પુત્ર હતું. આ કસાઈ નિરંતર અનેક જીવને વધ કરતું હતું. શ્રેણિક રાજાએ તેને વધ કરતે અટકાવવા ઘણે પરિશ્રમ કર્યો. પણ તે નિરર્થક ગયો.
એક દિવસ રાજાએ તેને કૂવામાં બાંધી ઉધે માથે લટકાવી રાખ્યો તે ત્યાં પણ પાણીમાં પાડા આલેખી માનસિક કલ્પનાથી તેણે અનેક જીવને માર્યા. આ પ્રમાણે જેની રગેરગમાં રૌદ્રધ્યાન વ્યાપી ગયું છે તેવા પામર જીને બેઘ આપવાને મહાજ્ઞાનીઓ પણ અશક્ત છે. તે શ્રેણિક જેવા તેને અંતરથી કેવી રીતે રોકી શકે ?