________________
૧૦૦
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ કેઈને એવી શંકા થાય કે જીવહિંસા કરીને પૈસે તો મેળવ, પછી દાન આપીને તે પાપથી છુટી જઈશું. તેને આચાર્યશ્રી કહે છે કે,
प्राणी प्राणितलोमेन, यो राज्यमपि मुञ्चति । तधोत्थमधं सर्वोवींदानेऽपि न शाम्यति ॥ २२ ॥
મનુષ્ય, પ્રાણીઓ, જીવનના લોભથી રાજ્યને પણ ત્યાગ કરે છે, (મૂકી દે છે.) તેને વધ કરવાથી ઉત્પન્ન થએલું પાપ આખી પૃથ્વીનું દાન આપે તે પણ કેવી રીતે શાંત થાય ? ૨૨.
હિંસા કરનારને આચાર્યશ્રી ઉપમા તથા શિક્ષા આપે છે.
वने निरपराधानां, वायुतोयतृणाशिनाम् । निनम् मृगाणां मांसार्थी विशिष्येत कथं शुनः ॥ २३ ॥ दीर्यमाणः कुशेनापि, यः स्वांगे हंत दूयते । निमैतून स कथं जंतूनंतयेन्निशितायुधैः ॥ २४ ॥ निर्मातुं करकर्माणः क्षणिकामात्मनो धृतिम् । समापयन्ति सकलं जन्मान्यस्य शरीरिणः ॥ २५ ॥ नियस्वेत्युच्यमानोऽपि देही भवति दुःखितः । मार्यमाणः प्रहरणे रुणैः स कथं भवेत् ॥ २६॥
વનને વિષે રહેનારા અને વાયુ, પાણી તથા લીલા ઘાસને ખાનારાં બિચારાં નિરપરાધી હરિને મારનારા માંસના અર્થીએ કતરાં કરતાં અધિક કેમ કહી શકાય? અર્થાત્ ન જ કહી શકાય. જે માણસને પિતાના શરીર ડાભનું એક તૃણ વાગવાથી પણ દુખ થાય છે. તે નિરપરાધી પ્રાણીઓને તીક્ષણ હથિયારો વડે શા માટે મારતા હશે? તે કુર કર્મ કરનારાઓ એક ક્ષણ માત્ર વાર પિતાની તૃપ્તિ કરવા માટે આ પ્રાણીઓને આખે જન્મ નાશ કરી નાંખે છે;
અરે તું મરી જા” એટલું કહેવાથી પણ જ્યારે પ્રાણીઓ દુઃખી થાય છે તે તેને ભયંકર શથી મારતાં કેટલું દુઃખ થતું હશે, એ મારનાર જીવે પોતે જ વિચારવાનું છે. ૨૪-૨૭