________________
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ સ્થિરતા, પ્રભાવના, ભક્તિ. જિનશાસનમાં કુશળતા, અને તીર્થસેવા-આ પાંચથી સમ્યક્ત્વ શોભે છે. તે ભૂષણે કહેલાં છે. ૧૬.
વિવેચન-ભૂષણ એટલે શેભા યા આભૂષણે, જે સમ્યકત્વ ઉપર ચડાવવાથી સમ્યફત્વ શેભી નીકળે, તે ભૂષણ. પ્રથમ સ્થિરતા. કોઈ ધર્મથી પતિત થતું હોય, તેને ઉપદેશ આપી યા તેની અગવડ દૂર કરી ધર્મમાં સ્થિર કરે અથવા અન્ય દર્શનકારના મંત્ર-તંત્રાદિ ચમત્કારે જેઈ ધર્મથી અસ્થિર ન થવું તે સ્થિરતા.
પ્રભાવના–શક્તિ અનુસાર ધર્મને ફેલાવ યા તેની શેભામાં વધારો કરે.
ભક્તિ-ગુણાનુરાગ, ગુણવાન પુરૂષોને વિનય કરે, બહુમાન કરવું, અન્નવસ્ત્રાદિ આપી તેમની ભક્તિ કરવી. '
જીવનશાસનમાં કુશલપણું–જિનેશ્વરને કહેલાં છવાજીવાદિ તને અભ્યાસ કરી તેમાં પ્રવીણતા મેળવવી.
તીર્થસેવા-તીર્થો બે પ્રકારનાં સ્થાવર અને જંગમ. સ્થાવર તીર્થો જયાં તીર્થકરોનાં કલ્યાણક થયાં હોય તેવી ભૂમિએ સ્પર્શવી, શુદ્ધ ભાવથી ગુણગ્રામ યા સ્તુતિ કરવી, વિચારણા કરવી, એ આદિ સ્થાવર તીર્થસેવા. જંગમ તીર્થ સાધુ મુનિરાજ, તેમની સેવા કરવી,
આ પાંચ સમ્યક્ત્વની શોભામાં-ઉજજવલતામાં–વધારે કરનાર છે માટે ભૂષણે કહ્યાં છે.
સમ્યકત્વનાં પાંચ દૂષણે. शङ्काकासाविचिकित्सा, मिथ्यादृष्टिप्रशंसनम् । तत्संस्तवश्व पश्चापि सम्यक्त्वं दुषयन्त्यलम् ॥ १७ ॥
શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિની પ્રશંસા અને તેને પરિચય, આ પાંચે પણ સમ્યક્ત્વને અત્યંત પ્રષિત કરનાર છે.
વિવેચન–શંકા; જિનેશ્વરના કહેલાં છવાછવાદિ તના સંબંધમાં શંકા કરવી. ખબર ન પડે તે કેઈને પૂછવું જ નહિ,