________________
સમ્યત્વનાં પાંચ ભૂષણે.
વિવેચન–શમ એટલે ઉપશમભાવ. પોતાના અપરાધીનું પણ ખરાબ ચિંતન ન કરે, અનંતાનુબંધી કષાયવાળે જીવ કેઈ પણ વસ્તુનું મૂળથી નિકંદન કરવાના પરિણામવાળો હોય છે. તેમ ઓછામાં ઓછા ઉપશમભાવવાળે હોય પણ અનંતાનુબંધી પરિણામવાળે ન હોય, તે ન હોવાનું કારણ એ છે કે “તેણે, દેહ અને આત્મા ભિન્ન છે, દેહને નાશ થાય છે, આત્માને નાશ નથી; આત્મા અન્ય અન્ય ભેમાં પિતાનાં કરેલાં શુભાશુભ કર્માનુસારે સુખ દુખ આદિને અનુભવ કરે છે. પિતાના પ્રયત્નથી કર્યાવરણને નાશ કરી સર્વથા કર્મ રહિત થઈ મુક્તિ મેળવી શકે છે. દેહ એ જ આત્મા છે, તેમ માન્યતા કરવી તે મિથ્યાત્વ છે, અને પુદ્દગલાદિ પરભાવમાં આસકત થવું તે સર્વ મિથ્યાભાવ છે” આ સર્વ સારી રીતે જાણેલ હોવાથી તથા આ સર્વ ભાવોથી વિમુકત થઈ આત્મપદ મેળવવું એ તેની દઢ ભાવના હોવાથી અનંતાનુબંધી પરિણામે ક્યાંથી હોય?
સંવેગ–દેવનાં અને મનુષ્યનાં સુખને દુઃખરૂપ માને અને મોક્ષસુખ અર્થાત્ ખરૂં આત્મસુખ તેને જ સુખ કરી જાણે,
નિવેદ–આ ભવને નારકી કે બંદીખાના સમાન માને અને ઉદાસીન વૃત્તિથી જેમ બને તેમ સંસારથી નીકળવાને પ્રયત્ન કરે.
અનુકંપા–બે પ્રકારની છે; દ્રવ્ય અને ભાવ. (વ્યવહારિક અને પરમાર્થિક.) દ્રવ્યથી દુખી પ્રાણીને પિતાથી બનતી મહેનત અને શક્તિ અનુસારે દુઃખથી મુક્ત કરવા તે. ભાવથી, ધર્મ રહિત જીવોને શકિત અનુસારે ધર્મમાં જોડવા પ્રયત્ન કરે તે.
આસ્તિકતા–વીતરાગનાં કહેલાં વચન ઉપર પૂર્ણ શ્રદ્ધાન. આ પાંચ લક્ષણે સમ્યક્ત્વાન્ છમાં હોય છે.
સમ્યકત્વનાં પાંચ ભૂષણે. . स्थैर्य प्रभावना भक्तिः, कौशलं जिनशासने ।
તીર્થસેવા જ પડ્યાશ્ય ખૂણાનિ પ્રવક્ષત્તિ | ૨૬ છે.