________________
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ બીજા દેવની આજ્ઞા શા માટે માન્ય ન કરવી ?
કુદેવનું લક્ષણ ये स्त्रीशस्त्राक्षसूत्रादि, रागाद्यककलंकिताः । निग्रहानुग्रहपरास्ते, देवाः स्युन मुक्तये ॥ ६॥
જે દેવે સ્ત્રી, શસ્ત્ર અને જપમાલાદિ રોગના ચિહેથી દૂષિત છે અને બીજાને નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં તત્પર છે, તે દેવની ઉપાસનાદિ મુક્તિને માટે થતી નથી. .
વિવેચન–સ્ત્રી રાગનું કારણ છે. જે પોતે નિરાગી હોય તે સ્ત્રી રાખવાનું પ્રયોજન શું? સંસારના સામાન્ય મનુષ્ય પણ સ્ત્રી આદિ કુંદમાં ફસાયેલા છે, તે તેના કરતાં આ દેવામાં અધિકતા શાની ? રાગને જય કર એ અતિ દુષ્કર છે, તે તે સ્ત્રી પાસે હોવાથી સ્પષ્ટ સમજી શકાય છે કે હજી તે જય તેમનાથી બની શક્યો નથી. જ્યાં રાગ હોય ત્યાં અવશ્ય દ્વષ પણ પ્રગટ થાય છે.
જ્યાં સુધી રાગ દ્વેષરૂપ બીજ પૂર્ણ બળ્યા નથી, ત્યાં સુધી સંસાર પરિભ્રમણના અંકુરા કદી શાંત થવાના નથી, અને સંસાર ભ્રમણ ગયું નથી ત્યાં સુધી સામાન્ય મનુષ્યથી તેમા અધિકતા શાની?
શસ્ત્ર પાસે રાખનારને અવશ્ય માથે કેઈ શત્રુ છે, અથવા કોઈ બીજા તરફથી ભય છે, યા પિતાનામાં નિર્બળતા છે, કે જેથી શસ્ત્ર રાખવાની જરૂર પડે છે, શસ્ત્ર પ્રહાર કરવાવાળામાં અવશ્ય દ્વેષ હેય ત્યાં પણ સંસાર ભ્રમણનાં બીજ કાયમ જ છે.
માળા રાખનાર દેવ કેના નામની માળા ફેરવે છે? શા માટે ફેરવે છે ? આથી જ જણાઈ શકે છે કે તેમને માથે કેઈ બીજા મોટા દેવ છે. કે જેના નામને જાપ તે કરે છે, તેમજ એમ પણ સમજી શકાય છે કે હજી તે દેવમાં ન્યૂનતા છે કે જે ન્યૂનતા પૂર્ણ કરવા માટે આશાથી બીજાની પાસે યાચના કરવારૂપ જપમાળા ફેરવવામાં આવે છે.
સેવક ઉપર અનુગ્રહ કરે અને બીજાઓને નિગ્રહ કરે. એ પણ રાગ-દ્વેષનું જ લક્ષણ છે.