________________
દેવનું સ્વરૂપ
વિવેચન–મિથ્યાત્વ મહાન રોગ છે, મહાન અધિકાર છે. મહાન શત્રુ છે. મહાન વિષ છે. અંધકાર, શત્રુ અને વિષની ચિકિત્સા કરવામાં ન આવી હોય તે એક જ જન્મ માટે દુઃખ આપે છે પણ મિથ્યાત્વને દૂર કરવાને ઉપાય કરવામાં ન આવ્યો હોય તો હજારો જન્મ પર્યત દુઃખદાયક થાય છે. મિથ્યાત્વથી વાસિત ચિત્તવાળા મનુષ્યોને તત્તાતત્ત્વ સંબંધી વિવેક હેતું નથી. શું જન્માંધ માણસે વસ્તુની રમ્યતા અરમ્યતાને અનુભવ કરી શકે છે ? એક છેડે વખત સુખ આપનારી યા રહેનારી વસ્તુ માટે જ્યારે મનુષ્ય દરેક પ્રકારે ચેકસાઈ કરે છે, તે ભંભવ સુખ આપનાર ધર્મ માટે કંઈ પણ પ્રયાસ કરવામાં ન આવે એ કેટલું બધું શોચનીય છે !
દેવ, ગુરુ અને ધમ એ ત્રણમાંથી પ્રથમ દેવનું
| સ્વરૂપ બતાવે છે. सर्वज्ञो जितरागादि, दोषस्त्रैलोक्यपूजितः । यथास्थितार्थवादी च, देवोर्हन् परमेश्वरः ॥ ४ ॥
સર્વજ્ઞ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન સંબંધી સર્વ દ્રવ્યોના જાણુ, રાગ દ્વેષાદિ દેને જીતનાર, ત્રણ લેક સંબંધી દેવ મનુષ્યથી પૂજનીક, અને સત્યવકતા તે દેવ અહંત, યા પરમેશ્વર કહેવાય છે; અથવા તે પરમ ઐશ્વર્યવાનું અહન દેવ કહેવાય છે. ૪. ..ध्यातव्योऽयमुपाम्योऽयमयं शरणमिष्यताम् ।
अस्यैव प्रतिपत्तव्यं, शासनं चेतनाऽस्ति चेत् ॥ ५ ॥
જે તમારામાં કઈ સદ્દ અસદ વિચાર કરવાની બુદ્ધિ યા ચેતના હોય તે આ દેવનું ધ્યાન કરવું, આની ઉપાસના કરવી, આનું શરણ ઈરછવું (લેવું) અને આ દેવની જ આશા અંગીકાર કરવી. ૫.