________________
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ શહેરમાં પ્રવેશ થતો નથી, તેમ સમ્યક્ત્વ ન હોય તે પુણ્યાનુબંધી પુણ્ય હેતું નથી. મેક્ષરૂપ મહેલના પાયાતુલ્ય સમ્યક્ત્વ છે. જે પાયે ન હોય તો મહેલ બનતો નથી, તેમ સમ્યકત્વ ન હોય તો મોક્ષ મળતું નથી. સર્વ સંપદાના નિધાન સરખું સમ્યક્ત્વ છે. જેમ રત્નોના આધારભૂત સમુદ્ર છે, તેમ ગુણ રત્નોના આધારવાળું સમ્યક્ત્વ છે, ચારિત્રરૂપ ધનનાં પાત્ર સરખું સમ્યફત્વ છે. જેમ આધાર સિવાય ધન રહી શકતું નથી, તેમ ચારિત્રરૂપ ઘન, સમ્યફવરૂપ આધાર સિવાય રહી શકતું નથી. આવા ઉત્તમ સમ્યક્ત્વની કેણ પ્રશંસા ન કરે ! સૂર્યોદય થયે જેમ અંધકાર ટકી શકતું નથી, તેમ સમ્યફવથી વાસિત મનુષ્યમાં અજ્ઞાનરૂપ અંધકાર રહી શકતું નથી. તિર્યંચ અને નરકનાં દ્વારા બંધ કરવા માટે સમ્યક્ત્વ છે. અર્ગલા સરખું છે, અને દેવ, માનવ તથા મોક્ષસુખનાં દ્વાર ખેલવા માટે સમ્યકત્વ એક ચાવી સરખું છે. જે સમ્યકત્વ મેળવ્યા પહેલાં આયુષ્યને બંધ ન કર્યો હોય અને આયુષ્ય બંધ પહેલાં સમ્યક ત્યાગ ન કર્યું હોય તે તે જીવ વૈમાનિકદેવ સિવાય બીજું આયુષ્ય ન જ બાંધે. એક અંતરમુહર્ત માત્ર પણ આ સમ્યકત્વની સેવના કરીને જે તેને ત્યાગ કર્યો હોય તે પણ તે જીવ સંસારમાં ઘણે વખત પરિભ્રમણ નથી કરતે; તે જે મનુષ્ય તે સમ્યક્ત્વનું નિરંતર સેવન કરે છે તેને નિરતર ધારણ કરે છે, તે જ ઘણા જ થોડા વખતમાં મેક્ષ મેળવે તેમાં આશ્ચર્ય શું?
મિથ્યાત્વનું સ્વરૂપ अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या । अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् ॥ ३ ॥
દેવના ગુણે જેમાં ન હોય છતાં તેમાં દેવપણાની બુદ્ધિ કરવી, ગુરુના ગુણે ન હોય છતાં તેમાં ગુરુપણાની ભાવના રાખવી અને અધર્મ વિષે ધર્મપણાની બુદ્ધિ રાખવી તે સત્યથી વિપરીત હિવાથી મિથ્યાત્વ કહેવાય છે. ૩.