________________
ગશાસ્ત્ર ભાષાંતર પ્રથમ પ્રકાશ
ત્રીજી કાયગુપ્તિ उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य कायगुप्तिर्निगद्यते ॥ ४३ ॥
ઉપસર્ગ જેવા પ્રસંગે પણ કાયોત્સર્ગમાં (ધ્યાનમાં રહેલાં મુનિના શરીર સંબંધી જે સ્થિર ભાવ (સ્થિરતા). તેને કાયણિ કહે છે. ૪૩
અથવા બીજી રીતે કાયસિ બતાવે છે. તે शयनासननिक्षेपादानचंक्रमणेषु यः । . .. स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ॥ ४४ ॥
શયન કરવું, આસને બેસવું, મૂકવું, લેવું અને ચાલવું વિગેરે સ્થાને, તે તે ક્રિયાના સંબંધમાં નિયમ રાખવો, તેને બીજી રીતે કાયગુપ્તિ કહે છે. ૪૪
" . एताश्चारित्रगात्रस्य, जननात् परिपालनात् । संशोधनाच साधूनां, मातरोऽष्टौ प्रकीर्तिताः ॥ ४५ ॥
જેમ માતા પુત્રને જન્મ આપે છે. ધાદિ પાઈ શરીરનું રક્ષણ કરે છે. અને મળમૂત્રાદિથી શુદ્ધ કરે છે, તેમ આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિચારિત્રરૂપ શરીરને જન્મ આપનાર વિાથી સાધુઓને આઠે માતા સમાન કહેલી છે. ૪પ.
ચારિત્ર વર્ણન ઉપસંહાર सर्वात्मना यतींद्राणामेतच्चारित्रमीरितम् । यतिधर्मानुरक्तानां देशतः स्यादगारिणाम् ॥ ४६ ॥
ઉપર વર્ણન કરવામાં આવ્યું તે સર્વવિરતિ ચારિત્ર ધારણ કરનાર મુનીવોને (મુનિઓને) માટે છે. યતિધર્મ ઉપર પ્રેમવાળા (પણ તે પ્રમાણે આદરવામાં અશક્ત) ગૃહસ્થીઓ માટે તે ચારિત્ર દેશથી (અમુક વિભાગથી) હોય છે. ૪૬