________________
૭૫
બીજી વયનગુપ્તિ - કરનારા અત્યારના જ્ઞાનીઓએ જરા મહેનત લઈને પૂર્વે કહેલ ક્રમ પ્રમાણે અનુભવ મેળવી જ જોઈએ, તે તેઓને જણાશે કે શૂન્ય થાએ છો, જડ થાઓ છે કે આનંદના ભોક્તા થાઓ છો? કેટલાક સારા વિચાર કરવા તેને મને ગુપ્તિ કહે છે, આ કલ્પના કરવાને હેતુ તેમને એવો મળ્યો છે કે વચનગુપ્તિ અને વચન સમિતિ એ, જેમ મૌન કરવું અને સત્ય, પથ્ય, મિત વિગેરે સારું બેસવું વિગેરે કારણથી ભિન્ન પડે છે તેમ મનમાં નથી. તેઓને હું જણાવીશ કે જુઓ અહીં મનને તે સમિતિ ગુપ્તિને ભેદ નથી પાડશે, પણ કલ્પસૂત્રમાં મને સમિતિ અને મને ગુપ્તિ એ સ્પષ્ટ ભેદ પાડેલ છે. તે પાઠ મહાવીરસ્વામીના દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેમની સ્થિતિનું યા તેમની પ્રવૃત્તિનું વર્ણન આપતાં જ આપવામાં આવે છે અને અહીં જે તે સ્પષ્ટ સમિતિ–ગુપ્તિને ભેદ નથી આપ્યો, તે પણ વિમુનાનારું, સમત્વે સુપ્રતિષ્ઠિત આ બે ભેદ મનોસમિતિને જણાય . છે. સારા વિચાર કરવા તેને મનગુપ્તિ કહેવી તે, ખરાબ વિચારેની અપેક્ષાએ કહી શકાય. ખરાબ વિચારોથી મનને જેટલું અટકાવ્યું તેટલું મન રેકાયું ગણાય. પણ ખરી રીતે મનગુપ્તિ તો મન આત્મામાં રમણ કરે તેને જ કહેવામાં આવે છે. ૪૧.
" બીજી વચનગુપ્તિ - संज्ञादि परिहारेण यन्मौनस्यावलम्बम् ।
वाग्वृत्तेः संवृतिर्वा या सा वाग्गुप्तिरिहोच्यते ॥ ४२ ॥
સંજ્ઞાદિકને ત્યાગ કરી જે મૌનપણું રાખવું તેને અથવા એકલી વચનની વૃત્તિઓને રેકેલી તેને અહીં વચનગુપ્તિ કહે છે. ૪૨
વિવેચન–હાથની, આંખની, આંગળીની કે ખૂંખારા વગેરે સંજ્ઞાને સર્વથા ત્યાગ કરે, તેને અથવા સંજ્ઞા વિગેરે ખુલ્લું રાખી, વચનથી બલવાને નિરોધ કર, મેન કરવું, તેને વચનગુપ્તિ કહે છે. ૪૨.