SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ ત્રણ ગુપ્તિમાં પ્રથમ મનેગુપ્તિ કહે છે विमुक्त कल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्झै मनोगुप्तिरुदाहृता ॥ ४१ ॥ કલ્પનાની જાળથી મુક્ત થએલા, સમભાવમાં સ્થિત થએલા અને આત્મભાવમાં રમણ કરતા મનને જ્ઞાની પુરુષાએ મનાસિ હેલી છે. વિવેચન—આત્ત અને રૌદ્રધ્યાનને કલ્પના જાળ કહેવામાં આવે છે. આવી કલ્પના જાળાથી પ્રથમ મનને મુક્ત કરવુ' જોઇએ. જો કે ધર્મધ્યાન એ પણ એક ઊંચી હદની અપેક્ષાએ કલ્પના જાળ છે. છતાં પણ પ્રથમ અભ્યાસીએ માટે તેને કલ્પના જાળ ન ગણતાં આત, રીદ્રધ્યાનને પુના જાળ ગણવી. આત-રાદ્ન વિનાની સ્થિતિમાં મનને મૂક્યા પછી બીજી સ્થિતિ મનને સમભાવમાં સ્થાપિત કરવાની છે. આ સમભાવમાં આત-દ્રધ્યાનને આદર પણ નહિ અને તિરસ્કાર પણ નહિ; અર્થાત્ ધર્મધ્યાનની સ્થિતિ ઉપર લાવી સૂકવુ.. આ સ્થિતિમાં અનેક જાતનાં શુભ આલંબના લઈને મનને સ્થિર કરવાનું છે. સ્થિર કરવાનું છે એટલે અશુભમાં જતું રાકી ધર્મધ્યાનના વિચારામાં દૃઢ કરવાનું છે. ત્યાર પછીની ત્રીજી સ્થિતિમાં મનને આત્મભાવમાં રમણ કરતું કરવાનું છે. આ આત્મભાવમાં કોઈ પણ જાતની માનસિક કલ્પના કરવાની નથી. સ્થૂળ વિચારાથી રહિત કરી નિર્વિકલ્પ કરવાનુ છે. જ્યાં સુધી કાઈપણ જાતની કલ્પના મનમાં હાય, કઈ પણ જાતના વિચારશ હૈાય ત્યાં સુધી મન આત્મભાવમાં કદી આવી શકતું નથી. આત્મભાવમાં મનને લાવવા માટે વિચારાને એક માજી કાઢી મૂકવાના છે, તેવા આત્મભાવમાં લય પામેલા મનને મનાસિ કહેલી છે. આ સ્થળે કેટલાક એવી શકા કરે છે કે મનમાં વિચાર ન કરવા, ત્યારે શું શૂન્ય થઈ જવુ ? કે જડ થઈ જવુ ? એવી શૂન્યતાની કે જડતાની સ્થિતિ અમને જોઇતી નથી, ” વિગેરે કલ્પના
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy