________________
યોગશાએ ભાષાંતર-પ્રથમ પ્રકાશ એ છે કે સારા વિષયમાં રાગ ન કરે અને ખરાબ વિષયમાં દ્વેષ ન કરે. આ પાંચ ભાવનાઓ છે. અને તે ખરેખર અપરિગ્રહ કે નિમમત્વને તેની છેલ્લી હદ સુધી પહોંચાડે છે. ૩૨-૩૩.
અન્ય રીતે ચારિત્ર રોગ अथवा पञ्चसमितिगुप्तित्रयपवित्रितम् । चरित्रं सम्यञ्चारित्रमित्याहुर्मुनिपुग्गवाः ॥ ३४॥ .
અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુણિથી પવિત્ર ચરિત્ર (આચરણ) ને તીર્થકર સમ્યફ ચારિત્ર કહે છે. •
વિવેચન–ચારિત્રને મુખ્ય માર્ગ ગુણિ છે. અને સમિતિ અપવાદ માર્ગ છે. મન, વચન અને શરીરના રોગોને નિરાધ કરો તે ગુપ્તિ છે, કાર્યપ્રસંગમાં શાસ્ત્ર આજ્ઞા મુજબ યતનાપૂર્વક મન, વચન અને શરીરના વ્યાપારને પ્રવર્તાવવાં તેને તીર્થકરે ચારિત્ર કહે છે ૩૪.
તે સમિતિ અને ગુણિનાં નામે ईर्याभाषेषणादाननिक्षेपोत्सर्गसंझिंकाः । વચાg સમિતિરિત ગુણવિયોગનિદ્દાત રદ્દ
૧. ઈર્યાસમિતિ, ૨. ભાષાસમિતિ, ૩. એષણાસમિતિ, ૪. આદાનનિક્ષેપસમિતિ ૫. ઉત્સર્ગસમિતિ આ પાંચને સમિતિ કહે છે અને મન, વચન, કાયાના ત્રણ ને નિગ્રહ (ધ) કરે તેને ત્રણ ગુપ્તિ કહે છે. ૩૫.
ઇર્યાસમિતિ એટલે શું ? लोकातिवाहिते मार्ग चुम्बिते भास्वदंशुभिः ।। जन्तुरक्षार्थमालोक्य गतिरीर्या मता सताम् ॥ ३६॥ અનેક લોકેથી ચલાએલા અને સૂર્યના કિરણોથી પ્રકટ દેખાતા