SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ આંતરે રહેવાનું ત્યાગ કરે કરી, ૨. રાગ પેદા થાય તેવી સ્ત્રીની કથાઓને ત્યાગ કરવે કરી, ૩. પહેલી અવસ્થામાં અનુભવેલ વિષયોની સ્મૃતિ (યાદી) ન કરવે કરી, ૪. સ્ત્રીઓના રમણિક અંગે ન જેવે કરી અને પ. પિતાના શરીરના ઉપર તેવા શણગારેને ત્યાગ કરવે કરીને, રસવાળા અને પ્રમાણથી અધિક આહારનો ત્યાગ કરે કરીને બ્રહ્મચર્ય વ્રતને ભાવિત (વાસિત) કરવું. ૩૦-૩૧. વિવેચન–૧. બ્રહ્મચારી પુરુષોએ કે સ્ત્રીઓ એ, જે ઠેકાણે છીએ કે પુરુષે રહેતા હોય, પછી તે એકલાં હોય કે યુગલ હેય, તેવા ગૃહમાં ન રહેવું જોઈએ, તેને આસને ઉપર ન બેસવું જોઈએ, અને તેવાં મુકામોની ભીંતને આંતરે પણ ન રહેવું જોઈએ, તેમ રહે તે તેમના પરિચયથી, તેમને જેવાથી અને તેમના વિષયાદિ સંબંધી શબ્દો સાંભળવાથી મેહની ઉત્પત્તિ થવાને સંભવ છે, એટલું જ નહિ પણ વ્રતભંગ થવાનો પણ ભય છે. તેવી જ રીતે નપુસકે જેમને સ્ત્રી પુરુષ બન્નેને અભિલાષ થાય છે તે રહેતા હોય અને પશુઓ વિગેરેનાં જોડલાંઓ કે એકલાં રહેતાં હોય તેવાં ઘરે, તેવાં આસનો કે તેવાં ઘરોની ભીંતના આંતરે રહેવાથી પૂર્વે કહેલ દોષે ઉત્પન્ન થવા સંભવ છે. ૨. બ્રહ્મચારી પુરુષએ રાગવાળી સ્ત્રીઓ સાથે કથાને ત્યાગ કરે જોઈએ અથવા સ્ત્રીની કથાને ત્યાગ કરવું જોઈએ અથવા એકલી સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કે ધર્મસંબંધી પણ કથાને ત્યાગ કરવો જોઈએ. ધર્મકથા ત્યાગ કરવાને હેતુ એ છે કે “ધર્મ કરતાં ધાડ આવી જાય.” આ કહેવત પ્રમાણે પિતાના ચારિત્રમાં ખામી લાવી બીજાનું સુધારવા પ્રયાસ ન કરવો જોઈએ. ૩. ગૃહસ્થાશ્રમમાં ભેગવેલ વિષયે યાદ કરવાથી વિકાર થઈ આવે છે. કામની ઉત્પત્તિજ વિચારથી થાય છે. પૂર્વના વિચારનું આલંબન મળતાંજ સત્તામાં રહેલ વેદોદય પ્રબળ અને પ્રગટ થાય છે. તે દૂર કરવા માટે તેવા વિચારે સ્મૃતિમાં ન લાવવા એ ઉત્તમ રસ્તે છે. ૪. સ્ત્રીઓનાં રમણિક અંગ ઉપાંગે જેવાથી વિષયને જાગૃતિ મળે છે. જો કે સ્ત્રી દૂર છે, પોતાની પાસે નથી, તથાપિ જેમ
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy