________________
ચોથા મહાવ્રતની ભાવના
૬૭
મેળવેલું અન્ન, પાણું, વસ્ત્ર, પાત્રાદિ વિગેરે ગુરુને યા આચાર્યને બતાવીને પછી પિતાનાં ઉપયોગમાં લેવું. આ બતાવવાનું કારણ એ છે કે ગુરુ આ વસ્તુ નિર્દોષ છે કે સદેપ છે અને ફાયદાજનક છે કે અપાય (કચ્છ) આપનાર છે, વિગેરે જાણતા હોવાથી તેને લાયક હોય તેજ તેને આપી અપાયથી (5ષ્ટથી) તેનું રક્ષણ કરે છે. ૫. તે વિતરાગ માર્ગમાં પણ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર અને મુકામની તે જરૂર જણાય છે, તે સિવાયની બીજી વસ્તુ ઉપાગી નથી. તે ગ્રહણ કરવામાં આવે છે તે વિતરાગ માર્ગથી ભ્રષ્ટ થવાય છે. ઉપર જણાવેલી ઉપયોગી વસ્તુ પણ માલિકની અને ગુરુની આજ્ઞા સિવાય ઉપગમાં લેવાની નથી એજ જણાવી આપે છે કે આ સૂક્ષમ પણ અત્તને ત્યાગ કરવાને ઉપદેશ આપનાર મહાત્માઓને કેાઈ ગૂઢ આશય તેમાં રહેલું છે, અને તેથી એમ સમજાય છે કે સદાચરણોથી, ભરપુર નીતિથી અને આત્મજ્ઞાનની જાગૃતિથી ભેગીએાએ શાંત ભાવમાં પિતાનું જીવન નિર્ગમન કરવું જોઈએ. હવે જે તેવા ગીએ આવા સ્વલ્પ કારણોમાં લોકનીતિથી વિમુખ થઈ અદત્ત ગ્રહણ કરી કુલેશના પ્રપંચમાં અને લોકોની અવગણનામાં આવી પડે તો તેઓ પિતાનું જીવન ઉરચ કરી લોકોને ઉચ્ચ માર્ગ બતાવવામાં કેવી રીતે ફાવી શકે કે ઉપયોગી થઈ શકે ? માટે તદ્દન નિર્દોષ અને શાંત રીતે જીવન પ્રવાહિત કરવાને ઈચ્છતા રોગીઓએ કઈ પણ પ્રકારનું અદા ન લેતાં ત્રીજા વ્રતની પાંચ ભાવનાઓથી વાસિત થઈ વર્તન કરવું જોઈએ. ૨૮–૨૯.
ચોથા મહાવ્રતની ભાવના स्त्रीषण्डपशुमद्वेश्मासनकुड्यांतरोज्झनात् । सरागस्त्रीकथात्यागात् प्राग्रतस्मृतिवर्जनात् ॥ ३० ॥ स्त्रीरम्यांगेक्षणस्वांगसंस्कारपरिवर्जनात् ।
प्रणीतात्यशनत्यागात् ब्रह्मचर्य च भावयेत् ॥ ३१ ॥ ૧. શ્રી, નપુંસક અને જનાવરવાળાં ઘર, આસન અને ભીંતના