________________
ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ
માલિકની રજા લેવી જોઈએ, ૪. અને કઈ પણ મુકામમાં પહેલાં મુનિએ આવી રહ્યા હોય તેમણે ગૃહસ્થ પાસેથી અવગ્રહ યાચેલે હેવાથી તે મુકામમાં બીજા નવીન આવનાર મુનિઓએ પ્રથમ આવેલ મુનિઓની રજા મેળવીને તેમાં રહેવું જોઈએ. જે તેઓની રજા મેળવ્યા સિવાય તેમાં રહે તો સ્વધર્મી અદત્તને દોષ લાગે. ૫. આ પાંચ અવગ્રહ કહેલા છે.
પ્રથમ ભાવના, વિચાર કરીને ગૃહસ્થ પાસે અવગ્રહ માગ તે છે. વિચાર કરવાનું કારણ એ છે કે આ જગ્યા અમારે લાયક છે કે કેમ? અહીં રહેવાથી અમારા જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ થશે કે હાનિ? અથવા ઘરને માલિક આગેવાન પોતે ન હોય પણ તેના અનુયાયી પુત્ર, પુત્રી, શ્રી વિગેરે કુંટુંબીઓ હોય તો તેની પાસેથી યાચના કરી મુકામ મેળવ્યા પછી બહારથી આવેલ ઘરના માલિકને તે વાત સંમત થશે કે કેમ? તેની મરજી ન હોવાથી આપસમાં કલેશ તો નહિ થાય ? વિગેરે પ્રર્વાપર વિચાર કરી મુકામ યા જગ્યાની માગણી કરવી. અમુક વખત જવા પછી ફરી યાચના કરવી. આ યાચના કરવાનું કારણ એ છે કે ગૃહસ્થને તે જગ્યાની જરૂર જણાતી હોય અને શરમથી તે બેલી શકતે ન હોય, તે માટે ફરી યાચના કરવી. જો તેમ ન કરે અને તેની મરજી વિરૂદ્ધ ત્યાં વધારે વખત રહે તે ફરી બીજા સાધુઓને વસ્તુ મળવી દુર્લભ થઈ પડે. આ હેતુથી અથવા માંદગી પ્રમુખને કારણે મૂત્ર, વિષ્ટા અને વઅપ્રક્ષાલનાદિ કારણથી વસ્તીના માલીકને પીડા ન થાય માટે બીજીવાર યા વારંવાર તે વસ્તીના માલિકની રજા મેળવવી કે અમુક પ્રમાણ જેટલે અવગ્રહ વાપરીશું. ત્રીજી ભાવનામાં જરૂર જેટલી જગ્યાની યાચના કરવી અને તેટલીજ વાપરવી. એથી દેનારનું મન કલુષિત ન થાય અને પિતાને અદત્તને દોષ ન લાગે. ૩. એક ધર્મ વાળા સાધુઓ પહેલાં રહ્યા હોય અને પાછળથી આવનાર સાધુ તે જ ધર્મના હેય તે પણ પહેલાં આવેલાં સાધુની આજ્ઞા લઈને જ તે મુકામમાં ઉતરવું જોઈએ. જો તેમ ન કરવામાં આવે તે સ્વધર્મી અદત્ત લાગે. ૪.