SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા અદત્તાદાન વિરમણવ્રતની ભાવના પરિણામને વિચાર કરવો જોઈએ. ઘણી ઉતાવળથી પૂર્વાપર વિચાર ક્યાં સિવાય કરેલાં કાર્યથી કોઈ વખત એવી વિપદા આવી પડે છે કે તે વિપાકે હૃદયમાં શલ્યની માફક દાહ કરે છે. આ પ્રમાણે બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ પૂર્ણ થાય છે. એ ભાવનાઓ પ્રત્યે જાગૃતિ રાખી બીજા મહાવ્રતને મજબુત બનાવવું. ૨૭. ત્રીજા અદત્તાદાનવિરમણવ્રતની ભાવના શારાપ્રાગ્રામીક્શાવપ્રકારના एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ॥ २८ ॥ समानधार्मिकेभ्यश्च, तथावग्रहयाचनम् । अनुज्ञापितपानान्नाशनमस्तेयभावनाः ॥ २९ ॥ ૧. વિચાર કરી અવગ્રહની યાચના કરવી, ૨. વારંવાર આવગ્રહની યાચના કરવી, ૩. આટલે જ અવગ્રહ વાપરીશું એમ નિશ્ચય કરી તેટલો અવગ્રહ રાખવે, ૪. સ્વધર્મીઓ પાસેથી અવગ્રહની યાચના કરવી, અને પ. અન્ન-પાન-આસન વિગેરે ગુરુની આજ્ઞા મેળવીને વાપરવાં. આ પાંચ આચાર્યવ્રતની ભાવના છે. ૨૮–૨૯ વિવેચન–સાધુઓએ રહેવાને માટે ઉપયોગવાળી જગ્યા ગૃહ પાસેથી માગીને લેવી જોઈએ, એ જગ્યાને કે મુકામને અવગ્રહ કહેવામાં આવે છે. આવા અવગ્રહના પાંચ માલિક હોય છે. અને તે સર્વની આજ્ઞા મેળવી તે જમીન ઉપર રહેવું કે હાલવું ચાલવું વિગેરે કરવું જોઈએ. આ પાંચ અવગ્રહ ૧ ઇંદ્ર, ૨. ચક્રવર્તી, ૩. રાજા, ૪. ઘરના માલિક, અને ૫. સ્વધર્મી સાધુઓ સંબંધી કહેવાય છે. ઇંદ્ર, ચક્રવર્તી રાજા અને સામાન્ય રાજાની પૃથ્વી ઉપર પિતા પોતાની હદમાં ચાલવા, બેસવા, ઉઠવા માટે પ્રજાને આજ્ઞા હેય છે. તથાપિ અમુક હદમાં કે રાજ્યમાં જવા આવવાને તેણે નિષેધ કરેલ હોય તો ત્યાં સાધુઓએ જવું–આવવું ન જોઈએ. જે જાય આવે તો અદત્તને (ચારી કર્યાને) દૈષ લાગે. ૧-૨–૩: ઘરના .
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy