________________
યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ મનને અશુભ વિચારોથી અટકાવવું હિંસા કરવામાં મનના વ્યાપારની મુખ્યતા છે તેથી મનની વિશુદ્ધતા હોય તે જ અહિંસા બની રહે છે અથવા મનની વિશુદ્ધતાથી અહિંસાને પુષ્ટિ મળે છે. ૨. એષણસમિતિ એટલે આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર વિગેરે કઈ પણ જીવને દુઃખ ન થાય તેવી રીતે નિર્દોષ લેવું. ૩. આદાન સમિતિ એટલે વાપાત્રાદિ ઉપકરણે તથા બીજું પણ કાંઈ લેવું-મૂકવું હોય તે તે કેઈ પણ જીવની વિરાધના ન થાય તેમ લેવું મૂકવું. ૪. ઈર્યાસમિતિ એટલે રસ્તામાં જવું–આવવું હોય ત્યાં નીચી દૃષ્ટિ કરી યતનાપૂર્વક કાઈ જીવની વિરાધના ન થાય તેવી રીતે જવું–આવવું. પ. દષ્ટાન્નપાન ગ્રહણ એટલે અનાજ (આહાર) અને પાણી જોઈને લેવું. કીડી કુંથવા આદિ છ અંદર ચડી આવ્યા હોય તે તેને દૂર કરવા અને દર ન થઈ શકે તેવા જ હોય તે અનાજ પાણીને નિર્દોષ જમીન ઉપર ત્યાગ કરે. આ પાંચ ભાવનાઓ પ્રમાણે વર્તન કરી પ્રથમ અહિંસા મહાવ્રતનું સારી રીતે પાલન કરવું. ૨૬..
બીજા મહાવ્રતની ભાવના हास्यलोभभयक्रोधप्रत्याख्याननिरन्तरम् ।
आलोच्य भाषणेनापि भावयेत् सनृतव्रतम् ॥ २७ ॥ ૧. હસી ૨. લેભ ૩. ભય અને ૪. ક્રોધનાં પચ્ચકખાણ (ત્યાગ) કરવા વડે કરીને નિરંતર વિચારપૂર્વક બેલવા વડે સત્યવ્રતને વાસિત કરવું. (મજબુત કરવું.) ૨૭.
વિવેચન--અસત્ય (જુઠું) બેલવાનાં કારણેને વિચાર કરીશું તે પ્રથમ મનુષ્યો એક-બીજાની હાંસી-મશ્કરી કરતાં જુઠું બોલે છે. મશ્કરીમાં એક બીજાની વસ્તુઓ છુપાવી, અમે લીધી નથી આમ કહી, તેની વસ્તુ માટે વ્યાકુળ થતે જોઈ આનંદ પામે છે. અથવા તેની સ્થિતિ તેવી ન હોય, તથાપિ તેવી સારી કે અધમ સ્થિતિના જેવા પર્યાયોથી બેલાવી મજા મેળવે છે. આ આનંદ કે મજાથી ફાયદો કાંઈ નથી છતાં મનુષ્ય અસત્ય બોલે છે અને બીજા વ્રતને