SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા મહાવ્રતની ભાવના દુષિત કરે છે. તેઓને ગુરુવર્ય જણાવે છે કે બીજા વ્રતને તમારે મજબુત કરવું હોય તે હાંસી કરવાનું પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) કરે. બીજી ભાવના લોભને ત્યાગ કરવાની છે. મનુષ્યો ક્ષણિક વસ્તુની લાલચને પરાધીન થઈને અસત્ય બોલે છે. આ ઠેકાણે વિચારવાનું છે કે ગમે તે વસ્તુ માટે લોભથી પ્રેરાઈ અસત્ય બેલી તે વસ્તુ મેળવશે તે પણ પુણ્યની પ્રબળતા સિવાય તે વસ્તુ તમારી પાસેથી ચાલી જશે, યા તમારા ઉપગમાં નહિ જ આવે અને બીજા મહાવ્રતને ભાંગી કર્મબંધિત થશે, એટલે અસત્ય બેલી લોભથી તે વસ્તુ મેળવવી નિરર્થક છે. એટલું જ નહિ પણ તે અનર્થ પેદા કરનાર છે. હવે જો તમારું પુણ્ય પ્રબળ છે તે પણ અસત્ય બોલી લેભથી વસ્તુ મેળવવી નિરર્થક છે. કારણ કે તમારું પુણ્ય પ્રબળ હશે તો તેવી રીતે કર્યા સિવાય પણ તમને તે વસ્તુ સંતોષવૃત્તિથી મળી રહેશે અને તેટલે કર્મબંધ અને અનર્થ થતું અટકશે. ૨. મનુષ્ય ભયથી અસત્ય બોલે છે. ન કરવાનું કેઈ કાર્ય થઈ ગયું હોય તેના સંબંધમાં કોઈ પૂછે કે આ કાર્ય તમે કર્યું છે ? હવે જે તે થઈ ગયું છે તેમ કહે તે તેની આબરૂ જાય, લેકમાં અપકીર્તિ થાય અથવા માર પડે કે વસ્તુને વિનાશ થાય વિગેરે ભયનાં કારણેને લઈને જ હું બોલે છે. તે કાર્યને છુપાવે છે. જ્ઞાનીપુરુષે કહે છે કે તેવા પામર છ બેવડા દંડાય છે. એક તે અકાર્ય કર્યું, તેનાથી કર્મબંધન તે થયું જ. વળી તે અકાર્ય છુપાવવા માટે જ હું બોલે છે. આમ એક તે વિષ અને પાછું વઘાયું એમ બંને રીતે કમ બાંધે છે. ગુરુજી કહે છે કે આ થોડા વખતના સંગવાળા અને સારું દેખાડવા માટે તેમના ભયથી તે જૂઠું બેલે છે પણ તારે તારા આત્માને ભય સાથે રાખવું જોઈએ. હે લેકે ચેડા વખતને સંયોગવાળા અને રાજી રાખવા અને નિરંતરના સંયોગવાળા પિતાના આત્માને કષ્ટમાં નાખ, ભભવમાં જૂઠું બોલી રખડાવ, માર કે રીબાવ એ કઈ રીતે તમને લાયક નથી. તેમ લોકોને રાજી રાખવાથી પણ તે પાપ છુપું
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy