SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ યમને ચે ભેદ સિવાય કઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી, તે ત્રીજુ અચૌર્યગ્રતા કહેવાય છે. વસ્તુને માલિક કાંઈ સમજી વસ્તુ અથવા ધન વિગેરે આપે તે માલિકની આપેલી હેવાથી તે ગ્રહણ કરી શકાય કે કેમ? ઉત્તરમાં ગુરુવર્ય એમ જણાવે છે કે ત્યાગીઓને માટે તે અદત્ત ચાર પ્રકારનું છે. ૧. તીર્થંકરની આજ્ઞા હોય તે જ ગ્રહણ કરી શકાય. તીર્થંકરની આજ્ઞા સિવાયની વસ્તુ તેને માલિક આપે તે પણ ન ગ્રહણ કરવી. ૨. તીર્થકરે અમુક વસ્તુ લેવાની આજ્ઞા આપી હેય તે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે ગ્રહણ કરાય છે તે તેવી વસ્તુ વિદ્યમાન ગુરુની આજ્ઞા સિવાય ન લઈ શકાય. કારણકે દ્રવ્ય ક્ષેત્રાદિને જાણનાર ગુરુ લાભાલાભ જાણીને તેને ગ્રહણ કરવાની આજ્ઞા આપે તેમજ ૩. માલિકની આજ્ઞા હોય તે તે વસ્તુ ગ્રહણ કરી શકાય. અને ૪. સજીવ શિષ્યાદિને તેની પિતાની મરજી યા તેના વડિલેની આજ્ઞા હોય તે શિષ્યાદિપણે ગ્રહણ કરી શકાય. આ પ્રમાણે તીર્થકર સંબંધી, ગુરુ સંબંધી. માલીક સંબંધી અને જીવ સંબંધી એમ ચાર પ્રકારના અદત્તને ત્યાગ કરે. ત્યાગીએને દ્રવ્ય, ધનાદિ તે ગ્રહણ ન જ કરાય, કેમકે દ્રવ્ય એ - ત્યાગવૃત્તિને નાશ કરનાર છે, તેમ ગૃહસ્થને ધનાદિ ઉપર મમત્વભાવ હેવાથી તે ધન બાઢા પ્રાણુ જેવું છે. આવા ઘણુ દાખલાઓ બનેલા જેવામાં આવે છે કે ધનને ના શ થવાથી કે ચેરી થવાથી મનુષ્યનાં હૃદય ફાટી જાય છે અને મરણ પણ થાય છે. માટે જ શાસ્ત્રકાર કહે છે કે બાહ્ય પ્રાણ સરખું મનુષ્યનું ધન હરણ કરનારે તેના ખરા પ્રાણેનું હરણ કર્યું છે. ૨૨ - યમને ચોથો ભેદ दिव्यौदारिककामानां कृतानुमतिकारितैः । मनोवाकायतस्त्यागो ब्रह्माष्टादशधा मतम् ॥ २३ ॥ દિવ્ય અને ઉદારિક વિષયને મનથી, વચનથી અને શરીરથી
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy