SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ મરાવવામાં કે તેનું અનુમોદન કરવામાં ન આવે ત્યારે તે પ્રથમ અહિંસાવ્રત કહેવાય છે. ૨૦ યમને બીજો ભેદ प्रियं पथ्यं वचस्तथ्यं, सूनृतव्रतमुच्यते । . . .... तत्तथ्यमपि नो तथ्य, मप्रियं चाहितं च यत् ॥ २१॥ બીજાને પ્રિય લાગે તેવું હિતકારી અને સત્ય વચન બેલવું તે સત્ય નામનું મહાવ્રત કહેવાય છે. અપ્રિય અને અહિતકર વચન સત્ય હોય તો પણ તે સત્ય નથી. (કેમ કે બીજાને ખેદનું અને પરિણામે અનર્થનું કારણ છે.) . વિવેચન—ગીઓએ કેવાં વચન બેલવાં જોઈએ તો તેમાં બીજું મહાવ્રત રહી શકે? ગુરુવર્ય કહે છે કે પ્રિય લાગે તેવું હોય, તેનાથી હિત થતું હોય, અને સત્ય હોય. આ ત્રણ વિશેષણ વિશિષ્ટ હોય તો બીજું મહાવ્રત કહી શકાય. સત્ય હોય પણ અપ્રિય હેય કે અનર્થકારી હોય તો તે વચન સત્ય છતાં પણ સત્ય નથી. આ કહેવાથી યેગીઓએ કઠોર વચનથી પણ બીજા જીવને દુઃખ ન આપવું, એ વન્યર્થ નીકળે છે. આવી સક્ષમ અહિંસક વૃત્તિઓથી ગીઓમાં હિંસક પ્રાણુઓ ઉપર કાબુ ધરાવવાની કે વચનસિદ્ધિ આદિ અનેક અતિશયોવાળી સિદ્ધિઓ પેદા થઈ શકે છે. યમને ત્રીજો ભેદ अनादानमदत्तस्या, स्तेयव्रतमुदीरितम् । વાહાર વૃધામ, સૂરતા તે દૃતા હિ તે છે ર૨ આપ્યા સિવાય કોઈ નહિ લેવું તે અચૌર્યત્રત કહેલું છે. ધન એ મનુષ્યના બાહ્ય પ્રાણ છે. તે હરણ કરતાં તે મનુષ્યના દ્રવ્ય પ્રાણેને નાશ કર્યો કહી શકાય છે. ૨૨ . વિવેચન–વસ્તુના માલિકની રજા સિવાય કે તેના આપ્યા
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy