________________
યમને બીજો ભેદ
૫૭
એળખાણ (સમજુતી) આગળ અપાઈ ગયેલ છે. તે જીવોને પ્રમાદથી પણ નાશ ન કર, એ વાક્યથી સ્પષ્ટ સમજી શકાય છે કે પ્રમાદથી નાશ ન કરો. ત્યારે જાણીને તે નાશ ન જ કરે. અહીં એ શંકા થઈ શકે તેમ છે કે જીવ તો નિત્ય અને અમર છે. એક શરીર મૂકી શરીરતરમાં જાય છે અને તેથી જીવને નાશ થત નથી, પણ શરીરને નાશ થાય છે. તે ત્રસ અને સ્થાવર જીવોને નાશ ન કર, એમ કહેવાને હેતુ શું છે? તેનું સમાધાન એમ થઈ શકે છે કે આ દેહધારીજીને દશ પ્રાણ હોય છે.
સ્પર્શ ઈદ્રિય-શરીર, રસઈદ્રિય-છઠ્ઠવા, ઘાણઈદ્રિય-નાક, ચક્ષુ ઈદ્રિય-આંખ, શ્રોતઇન્દ્રિય-કાન, મનબળ-મનશક્તિ, વચનબળ-વચનશક્તિ, કાયબળ-શરીરશક્તિ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય-આઉખું.
તેમાંથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચમાં રહેલા એકેદ્રિય જીવોને સ્પર્શેવિય, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે. બેઈદ્રિય જીવોને રસઈદ્રિય અને વચનબળ સહિત છ પ્રાણ હેય છે. તેઈદ્રિય જીને ઘણુઇન્દ્રિય સહિત સાત પ્રાણ હોય છે. ચૌદ્રિય જીને ચક્ષુદ્રિય સહિત આઠ પ્રાણ હેય છે. માતાપિતાના સંગ વિના ઉત્પન્ન થયેલા સંમૂર્ણિમ પદ્રિય અને કર્ણ ઈદ્રિય સહિત નવ પ્રાણ હોય છે. અને ગર્ભજ પંચેન્દ્રિય જનાવર, મનુષ્ય તથા ઉપપાતિક દેવ અને નારકીના જેને દશ પ્રાણું હોય છે. આ પ્રાણે તે આ દેહધારીનું કઈ પણ જાતના દેહમાં રહેવારૂપ જીવિતવ્ય છે અને પ્રાણરૂપ જીવિતવ્યને નાશ કરે કે તેનાથી જીવને વિગ કરાવવું અથવા તેને દુઃખ આપવું તે હિંસા છે. આ કહેવાથી જુઓ કે આત્માને નાશ નથી થત એ સિદ્ધ છે. તે પણ તેને ધારણ કરેલા પ્રાણેને નાશ થવાથી (વિયોગ થવાથી) આત્મા દુઃખાદિને અનુભવ કરે છે અને તેથી જ પ્રાણના નાશને હિંસા માનવામાં આવી છે. એકે દ્વિયથી લઈ પશ્ચિય પર્યત કઈ પણ જીવને મનથી, વચનથી કે શરીરથી મારવામાં,