________________
યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ કહી તે જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર મેક્ષને અર્થે થાય છે, આમ એકજ પુસ્તકમાં બે અભિપ્રાય આપતાં, પહેલા અભિપ્રાયમાં ખુલ્લી રીતે નિશ્ચય મહાવ્રતની ગુપ્તતા સમજી શકાય છે, અને બીજા અભિપ્રાયથી વ્યવહારિક મહાવ્રત કહેવાપૂર્વક છેલ્લી હદ સુધી સાધકને લઈ જવા પ્રયત્ન કરે છે. અથવા બીજી અપેક્ષાએ એમ પણ સમજી શકાય છે કે આ પાંચ મહાવ્રત પાંચ પાંચ ભાવના યુક્ત મોક્ષને અર્થ થાય છે, તે સામાન્ય કથન છે. અને ધ્યાનાદિકે કરી મેક્ષ થાય છે તે વિશેષ કથન છે. એટલે પ્રથમ સામાન્ય કથન કરી પછી વિશેષ કહેવું એ પણ એક શાસ્ત્રકારની રીતિ છે. અહીં પાંચ મહાવ્રતે મેક્ષનું કારણ છે, તે પરંપરાએ મેક્ષનું કારણ છે, એમ પણ સમજી શકાય છે. આ પ્રમાણે જુદા જુદા અભિપ્રાયો જે મારા સમજવામાં આવ્યા તે જણાવ્યા છે. વિશેષ ખુલાસે જ્ઞાની પુરુષ જેણે. ગમે તેમ છે પણ આ પાંચ મહારોં મેક્ષનું કારણ છે, તે તે નિર્વિવાદ જ છે કેમકે આ મહાવતેના આદરભાવથી સંસારને અને કર્મ આવવાને માટે ભાગ રેકાય જાય છે, આત્માને શાનિત અનુભવાય છે અને ઉત્તરોત્તર આગળ વધી શકાય છે, એ તે નિર્વિવાદ જ છે. આ પાંચ મહાવ્રતની પચીશ ભાવનાએ છે. અહીં તેને અર્થ એ થાય છે કે મહાવ્રતને સારી રીતે દઢતાપૂર્વક પાળવામાં સહાયક ક્રિયાઓ. આનું સ્વરૂપ અનુક્રમે આગળ કહેવામાં આવશે. પ્રથમ તે પાંચ યમનું સ્વરૂપ કહેવામાં આવે છે.
અહિંસારૂપ પહેલા મહાવ્રતનું સ્વરૂપ કહે છે. न यत्प्रमादयोगेन, जीवितव्यपरोपणम् ।
सानों स्थावराणां च, तदहिंसावतं मतम् ॥२०॥ .
પ્રમાદના કારણથી, ત્રસજીનું અને સ્થાવર જીવનું જીવિતવ્ય નાશ ન કરવું તે અહિંસાવ્રત માનેલું છે.
વિવેચન–સજી અને સ્થાવર જીવે એઓનું વર્ણન યા