________________
1
1
1
• ૫૪
યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ. સર્વ પાપવાળા ને ત્યાગ કરવો તેનું નામ ચારિત્ર. આ સ્થળે સર્વ શબ્દ કહેવાનો એ આશય છે કે દેશથી પણ પાપવાળા
ગેને ત્યાગ કરી શકાય છે તેને દેશચારિત્ર કહેવામાં આવે છે. પણ આ સ્થળે પૂર્ણ ચારિત્રનું વર્ણન ચાલે છે, અને તે જ મેક્ષનું એક અંગ છે. માટે દેશચારિત્રનું ગ્રહણ ન થાય તે માટે સર્વ શબ્દને ગ્રહણ કરેલ છે. તે ચારિત્ર અહિંસાદિ ( કોઈપણ જીવની હિંસા ન કરવી ઈત્યાદિ) વ્રતના ભેદથી પાંચ પ્રકારનું છે. તે જ પાંચ પ્રકાર આગળ કહેવામાં આવે છે.
- યમને પહેલે ભેદ अहिंसासूनृतास्तेय, ब्रह्मपर्यापरिग्रहाः । पञ्चभिः पञ्चभियुक्ता, भावनाभिविमुक्तये ॥ १९ ॥
અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને મમતારહિતપણું, આ પાંચ મહાવ્રત ચારિત્ર કહેવાય છે. એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. પાંચ પાંચ ભાવના સહિત પાંચ મહાવ્રતે મુક્તિને માટે થાય છે. ૫ ૧૯ છે '
વિવેચન-આ પાંચ મહાવતે એ ચારિત્ર છે અને તે મેશનું કારણ છે. અહીં એ શંકો ઉત્પન્ન થાય છે, કે પાંચ મહાવ્રત ચારિત્ર છે અને ચારિત્ર તે જ વેગ છે. તે વિશેષમાં નિયમ, આસન, પ્રાણયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ સર્વે આગળ બતાવવામાં આવશે તેને ઉપયોગ શું? અર્થાત્ જે યમથી એટલે પાંચ મહાવ્રતોથી મિક્ષ થતું હોય તે પછી ધ્યાનાદિ અંગે કહેવાનું પ્રોજન શું? આ શંકાનું સમાધાન એમ થઈ શકે છે કે એક વ્યવહારિક મહાવતે અને બીજાં નિશ્ચયિક મહાવતે. તેમાં વ્યવહારિક મહાવતે અષ્ટાંગ યેગના પ્રથમ અંગ તરીકે આવી શકે છે. ૧. કઈપણ જીવની હિંસા કરવી નહિ, ૨. અસત્ય બોલવું નહિ, ૩. ચેરી કરવી નહિ, ૪. બ્રહ્મચર્ય પાળવું, અને પ. પરિગ્રહને સર્વથા