________________
ચારિત્રગ
*
સમ્યક્ત્વની કે આત્મ વિશુદ્ધિની જરૂર હોય તે અવશ્ય રાગ-દ્વેષ ઓછા કરવા જોઈએ. - શ્રદ્ધામાં પણ અનેક જાતની તારતમ્યતા આપણા જેવામાં આવે છે. કેઈને વિશેષ શ્રદ્ધા, કેઈને છેડી શ્રદ્ધા, કેઈને તેનાથી પણ
ડી. આ સવ તારતમ્યતા થવાનું કારણ પરિણામની અવિશુદ્ધિ અને રાગ-દ્વેષનું વિશેષાધિકપણું જ છે. જે ૧૭ છે
' ચારિત્રયાગ, सर्वसावद्ययोगानां, त्यागश्चारित्रमिष्यते । कीर्तितं तदहिंसादि, व्रतभेदेन पञ्चधा ॥ १८ ॥
સવે દેષવાળા મન, વચન, કાયાદિ ગોનો ત્યાગ કર, તેને ચારિત્ર કહેવામાં આવે છે, આ ચારિત્ર અહિંસાદિ વ્રતના ભેદ કરી પાંચ પ્રકારે કહેલું છે. ૧૮ છે ' વિવેચન-જ્ઞાનથી જાણવામાં આવ્યું. દર્શનથી નિશ્ચય થયે, હવે ચારિત્રથી તે પ્રમાણે વર્તન કરવું. આ કિમે વર્તન કરવાથી તે વસ્તુની પ્રાપ્તિ ઘણું સહેલાઈથી થઈ શકે છે. વ્યવહારિક કાર્યોમાં જેમ કેઈપણ સ્થાને જવાનું હોય તે પ્રથમ તેને રસ્તે જાણ, તેને નિશ્ચય કર અને પછી તે માર્ગે ચાલવાની ક્રિયા કરવી, તેથી ઈચ્છિત સ્થળે પહોંચી શકાય છે. તેમ કર્મોથી મુક્ત થવામાં પણ પ્રથમ મુક્ત થવાને માર્ગ જ્ઞાનથી જાણ, દર્શનથી તેને નિર્ણય કરે અને ચારિત્રથી તે પ્રમાણે ક્રિયા કરવી. આ ત્રણ એકઠાં મળવાથી મેક્ષરૂપ કાર્ય થઈ શકે છે. જ્ઞાનથી આપણે જાણ્યું કે આ વસ્તુ ખાવાથી ભૂખ દૂર થાય, પેટ ભરાય અને શક્તિ આવે, પણ વસ્તુ જાણ્યા પછી જે ખાવારૂપ ક્રિયા ન કરે તે ભૂખ ભાંગે નહિ, પેટ ભરાય નહીં અને શક્તિ આવે નહીં. માટે આ ત્રણમાંથી એકાદ ન્યૂઝ હેય ત્યાં સુધી તે કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. આ કારણથી જ જ્ઞાન અને શ્રદ્ધા પછી ચારિત્ર કહેવામાં આવ્યું છે.