________________
ર
યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ
ત્યારે તેનાં ફળ મળવાની આશા તે ક્યાંથી જ હેય? .
પહાડ ઉપરથી નદી નીચી વહન થતી હોય, તેમાં કેઈ બેડેળ પત્થર અથડાઈ પછડાઈને ગોળાકાર થઈ જાય છે, તેવી જ રીતે અનાદિ કાળથી સંસારમાં પર્યટન કરનાર આ જીવને પરિણામની વિશુદ્ધતાથી, કર્મોની ક્ષપશમતાથી અને ઔધિક પણ સારી પ્રવૃત્તિથી આ સમ્યફવરૂપ રત્નની પ્રાપ્તિ થઈ આવે છે. કેઈમાણસ રસ્તે ભૂલી ગયે હૈય, તે સ્વાભાવિક રીતે આમ તેમ ફરતાં સાચા રસ્તા ઉપર આવી જાય છે અને કદાચ બીજાને પૂછવાથી તેમના બતાવ્યા પ્રમાણે ચાલતાં પણ સત્ય રસ્તા ઉપર આવે છે, તેવી જ રીતે આ સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ પરિણામની વિશુદ્ધતાએ સ્વાભાવિક રીતે થઈ આવે છે, અથવા સદ્દગુરુને ઉપદેશ સાંભળી તે પ્રમાણે વર્તન કરતાં પરિ. ણામની વિશુદ્ધતા મેળવી શકાય છે. ગમે તેવી રીતે સમ્યક વ પ્રાપ્ત થાઓ, પણ તે પરિણામની વિશુદ્ધતા વિના તે નહિ જ મળી શકે. આ વિશુદ્ધતા જેમ જેમ રાગ-દ્વેષ ઓછા થતા જશે તેમ તેમ વૃદ્ધિ પામશે, યા પ્રગટ થતી આવશે. રાગ અને દ્વેષ એ મહાન ચીકાશ છે. આ ચીકાશથી જ્ઞાન, શ્રદ્ધા અને ચાગ્નિ દબાઈ જાય છે. માટે દરેક અવસરે અને દરેક કાર્યમાં રાગ-દ્વેષથી ઘણું જ સાવધાન રહેવાનું છે કે, તેની ચીકાશથી આત્મા વિશેષ દબાઈ ન જાય. તેવા સાવધાન મનુષ્ય જ ઉંચા આવી શકશે. સૂર્યની આડે વાદળાને
જ્યાં સુધી માટે વિભાગ આવી ગયો છે, ત્યાં સુધી પ્રકાશની આશા રાખવી વ્યર્થ છે. તેવી જ રીતે આત્માની આડે આવે રાગ-દ્વેષ રૂપ વાદળાને જ હોય ત્યાં સુધી આત્મપ્રકાશ યા આત્મસુખની આશા રાખવી નકામી છે. વાળ દૂર થશે ત્યારે જ પ્રકાશ થશે, તેમ રાગ-દ્વેષ રૂપે પડળો દૂર થવાથી જ આત્મપ્રકાશ પ્રગટ થશે. રાગષિની અધિક્તા થતાં જ, સમ્યકત્વ પ્રાપ્તિની નજીક આવેલા છે. પણ કર્મની સ્થિતિ વધી જતાં સંસારમાં અધિક પર્યટન કરે છે અને સમ્યકત્વથી દૂર રહે છે. એટલું જ નહિ પણ સમ્યક્ત્વ પામેલા છે પણ સમ્યફવથી પતિત થઈ સંસારમાં રખડે છે. માટે જો.