SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનયોગ. પ્રમાણ વિગેરેથી જે યથાસ્થિત (જેવું છે તેવું) જાણવાપણું, પછી તે જાણવાપણું સંક્ષેપથી હોય કે વિસ્તારથી હેય, તેને સમ્યગ જ્ઞાન જ્ઞાની પુરુષે કહે છે. આ તત્ત્વ સંબંધી વિચારે બળા વિસ્તારથી અન્ય પુસ્તકમાં આપવામાં આવ્યા છે. તેથી અહીં વિશેષ વિસ્તારથી લખવામાં આવ્યા નથી, પણ વિશેષના અર્થીઓએ જીવાભિગમસૂત્ર, નવણા સત્ર, નવતત્વભાષ્યાદિ ગ્રંથ જેવા. આ તત્ત્વજ્ઞાનમાં પ્રથમ આત્માનું અને પછી અજીવનું જે જ્ઞાન આપવામાં આવ્યું છે તે ઘણી જ સમજપૂર્વક આપ્યું છે, કેમ કે આત્માના અજ્ઞાનીઓને પ્રથમ આત્મા શું છે, તે જણાવવાની જરૂર છે અને તે આત્માનું જ્ઞાન તેના પ્રતિપક્ષી અજીવને જાણ્યાથી જ વિશેષ સ્પષ્ટ થઈ શકે છે તે બે તનું વર્ણન થતાં પુનર્જન્મ થવાનું કારણ શું ? તેના કારણે રૂપે પુણ્ય, આશ્રવ અને બંધ વિગેરે જણાઈ આવે છે. અને પુનર્જન્મ ન કરવા પડે તે હેતુરૂપે સંવર, નિર્જરા અને મેક્ષ બતાવવામાં આવ્યા છે. આ નવ તત્ત્વમાં જીવ અજીવ જાણવા લાયક છે; પાપ, આશ્રવ અને બંધ ત્યાગ કરવા લાયક છે, પુણ્ય પણ અમુક હદે ગયા પછી ત્યાગ કરવાનું છે. સંવર નિર્જરા અને મેક્ષ આદરવા લાયક છે. रुचिर्जिनोक्ततत्त्वेषु, सम्यकश्रद्धानमुच्यते । जायते तनिसर्गेण, गुरोरधिगमेन वा ॥ १७॥ જિનેશ્વર ભગવાનના કહેલા તને વિષે રૂચિ થવી (એ સત્ય છે એવી પ્રતીતી થવી) તેને સમ્યફ શ્રદ્ધાન (ખરેખર શ્રદ્ધા) કહે છે. આ શ્રદ્ધા સ્વાભાવિક રીતે યા ગુરુના ઉપદેશથી થાય છે. વિવેચન-શ્રદ્ધા વિનાનું જ્ઞાન નિરર્થક છે. જે વસ્તુના ઉપર પ્રીતી નથી તે વસ્તુ આદરણીય થતી નથી અને આદર કર્યા સિવાય ફાયદે મળતું નથી. તેમ જ્ઞાનથી જાણ્યું હોય પણ જ્યાં સુધી તેને ઉપર પ્રીતિ . નથી, ત્યાં સુધી તે તરફ આપણું પ્રવર્તન થવાની બીલકુલ આશા નથી,
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy