________________
યેગશાસ્ત્ર ભાષાંતર–પ્રથમ પ્રકાશ સુંદર યા અસુંદર પુદ્ગલોને–વિષને-પામીને રાગદ્વેષ ન કરતાં સમપરિણામે રહેવામાં આવે તે કર્મબંધ થતું નથી. પિતાનું ભાન ભુલવું, અને પુદગલમાં આસક્ત થવું, આ બંનેને મેળાપ કહે, કે મિત્રતા કહેતે જ કર્મબંધ અને જન્મ મરણને હેતુ છે. આ કહેવાથી અછતત્વ કહેવાયું. આ અજીવતર નું સ્વરૂપ સારી રીતે વિચારી આત્માથી તેને ભિન્ન રાખી, ભિન્ન સમજી, જેમ બને તેમ તેની આસક્તિ ઓછી કરવી; અને જેમ જેમ, પુદ્ગલમાં આસક્તિ ઓછી થશે, તેમ તેમ આત્મામાં પ્રીતિ વિશેષ બની આવશે. .
પુણ્ય, પાપ અને આશ્રવ. ' મન, વચન અને કાયાની શુભ કિયા તે શુભ આશ્રવ. મન, વચન અને કાયાની અશુભ કિયા તે અશુભ આશ્રય. આ બંને જાતની ક્રિયાથી આવેલા શુભ અશુભ પુદગલ તેમજ મિથ્યાત્વ, અવિરતિ અને ક્રોધાદિ કષાયથી જુદા પડી શકતાં નથી, પુણ્ય અને પાપ કહે છે. તે આશ્રવથી જુદાં પડી શકતાં નથી, એટલે તે બન્નેને આશ્રવમાં સમાવેશ કરવામાં આવે છે.'
સંવર–આવતા શુભાશુભ કર્મોને અટકાવવાં, રોકવા તેને સંવર કહેવામાં આવે છે.
બંધ–આશ્રવ દ્વારમાં મન, વચન અને કાયાથી ગ્રહણ કરેલાં કર્મોને તેમજ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વિગેરેથી ગ્રહણ કરાએલાં કર્મોને પ્રકૃતિ (સ્વભાવ), સ્થિતિ (કાળનું માન), અનુભાગ (રસ) અને પ્રદેશ (દળીયાને સમુદાય) આ ચારરૂપે ગોઠવીને બંધિત કરવાં તે બંધતત્તવ.
નિજા-આશ્રવ દ્વારે બંધમાં આવેલાં શુભાશુભ કર્મોને વેઢીને સત્તાથી કાઢી નાંખવાં તે નિર્જરાતત્વ.
મોક્ષ–કમને સર્વથા અભાવ અર્થાત્ આત્માનું સર્વ કર્મોથી છૂટા થવાપણું તે મોક્ષ. આ પ્રમાણે નવ તનું નય, નિક્ષેપ