SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ છે, આથી સ્પષ્ટ સમજી શકાય છે કે, આત્મા કર્મોને કર્તા, ભક્તા અને હર્તા છે, પણ તેનાં કર્મો કઈ બીજે ભેગવવાને કે દૂર કરી શકે તેમ નથી. નિમિત્ત કારણરૂપ બની શકે તેમ છે પણ સાક્ષાત્ રૂપે તો કમનું કરવું, ભોગવવું કે દૂર કરવું એ સર્વ આત્માના પોતાના વીયને સ્વાધિન છે. તે તે જાતના ઉપાયો જવાથી કર્મથી જુદો પડી શકે છે. દષ્ટાંતમાં માટીની સાથે મળેલું સુવર્ણ (સેનું) અગ્નિથી ગરમ કરવાના વગેરે ઉપાયોથી જુદું પડી શકે છે. તેમ આત્માની સાથે મળેલાં કર્મો જ્ઞાન - ધ્યાનરૂપી અગ્નિથી જુદાં પાડી શકાય છે. આ સામર્થ્ય આત્મામાં જ છે. એક ઘર બનાવનારને ઘર બનાવવાનું સામર્થ્ય પિતામાં છે તો તે ઘર તોડવાનું સામર્થ્ય પિતામાં હેય જ, તેમ જ્યારે કર્મ બાંધવાનું સામર્થ્ય આત્મામાં છે તો કર્મ તોડવાનું સામર્થ્ય તે આત્મામાં હોય જ.' અજીવત-અજીવતત્વમાં ધર્મારિતકાય, અધર્માસ્તિકાય આકાશ, કાળ અને પુદૂગળ એવા પાંચ વિભાગે પડી શકે છે. ધમાંસ્તિકાય એ એ અરૂપી પદાર્થ છે કે આપણે આપણું નેત્રેથી તેને જોઈ ન શકીએ, છતાં તેના કાર્યથી તે જાણી શકાય છે. જેમકે જીવ અને અજીવ એ બનેને એક સ્થાનથી બીજા સ્થાન તરફ જતાં આવતાં (જવા આવવામાં) સહાયક તરીકેનું કામ તે કરે છે. દષ્ટાંતમાં માછલાઓમાં ગતિ આગતિ કરવાનું સામર્થ્ય છે. તથાપિ પાણી ન હોય તો તેમનાથી ગમન આગમન બની શકતું નથી. પણ ગમનગમનમાં સહાયક છે. તેવી જ રીતે સર્વ જીવ અજીવના ગમનમાં ધર્માસ્તિકાય સહાયક છે અને તે લોકના પ્રમાણ જેટલા વિસ્તારમાં છે. અધર્માસ્તિકાય–અધર્માસ્તિકાય પણ અરૂપી પદાર્થ હોવાથી આપણે તેને જોઈ નહિ શકીએ છતાં કાર્યથી જાણી શકશું, તેનું કાર્ય એ છે કે જીવ અજીવ પદાર્થોને સ્થિર રહેવામાં (પછી ગમે તેટલે વખત, તેને કાંઈ નિયમ નથી) સહાય કરવી, તે પણ લેક જેટલા વિભાગમાં રહેલ છે. આકાશ–જેને પિલાણ કહેવામાં આવે છે તે પણ અરૂપી
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy