SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ જ્ઞાનગ. સ્થાવર–પૃથ્વીની અંદર જીવ છે, પાણીની અંદર જીવે છે, અગ્નિમાં જીવ છે, પવનમાં જીવ છે ને વનસ્પતિમાં જીવ છે. આ પાંચે જાતના છ સ્થાવર કહેવાય છે. તેઓ સ્વભાવથી સ્થિર રહે છે, અથવા સ્થાવર નામકર્મના ઉદયવાળાં છે. બીજા પણ વીર્યમાં ઉત્પન્ન થનારા, વિષ્ટામાં, શ્લેષ્મમાં, વમનમાં, પિત્તમાં, એંઠવાડ અને ખાળ વગેરેમાં ઉત્પન્ન થનારા છમાંથી કેઈને સંમૂર્ણિમ પંચંદ્રિયમાં તે કેઈને બે ઇંદ્રિય આદિમાં સમાવેશ થાય છે. આ સર્વ છે આઠ કર્મથી ઘેરાયેલા સંસારવાસી કહેવાય છે. જ્યારે તે જી પિતાને જાણે છે, આત્માના સામર્થ્યની તેમને ખબર પડે છે, પોતાનામાં જ સુખ છે. એમ નિર્ણય કરે છે, દેહમાં થતી આત્મબ્રાતિ હઠાવે છે, અને સ્વસ્વરૂપમાં આવે છે, ત્યારે કર્મોને નાશ કરી શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર અનુભવ કરતા રહે છે. આવા આત્માઓ દુનિયામાં અનંતા છે, અને તે સર્વ આત્માઓ દ્રવ્યથી નિત્ય છે. આત્માઓને કેઈ અવસરે કેઈએ બનાવ્યા હોય એમ નથી પણ અનાદિકાળથી છે, છે. અને છે જ. પર્યાયની અપેક્ષાએ અનેક જાતનાં રૂપાંતરામાં તે સંસારી આત્માઓ ફર્યા કરે છે. દષ્ટાંતમાં એક સોનાની લગડી હોય તે સુવર્ણ દ્રવ્યની અપેક્ષાએ કાયમ રહે છે, પણ પર્યાયની અપેક્ષાએ તે લગડીમાંથી અનેક જાતનાં ઘરેણાં બનાવવામાં આવે, તેને ભાંગી વળી બીજા ઘાટે બનાવવામાં આવે, આવાં ઉત્તરોત્તર બનતા ઘાટેમાં પૂર્વ પર્યાયને (આકૃતિને) નાશ થઈ નવી નવી આકૃતિ યા પર્યાય બને છે. પણ દરેક કૃતિઓમાં સેનું તે કાયમ જ છે. તેમ કર્મની ઉપાધિને લઈને આત્મા ભલે અનેક જાતનાં શરીરમાં પ્રવેશ કરે અને તે આકૃતિ મુકીને વળી બીજી નવીન આકૃતિ (દેહ) ગ્રહણ કરે તથાપિ દ્રવ્યરૂપે આત્મા શાશ્વત જ છે. પર્યાયરૂપે આત્મા અશાશ્વત (અનિત્ય) છે, પણ જ્યારે તે આત્મા પિતાના આત્મસ્વરૂપમાં પૂર્ણ રીતે આવશે, ત્યારે દેહના અભાવથી આવી આકૃતિઓ બદલવા રૂપ પર્યાયે કરવા . નહિ જ પડે, આત્મા પિતે કર્મો કરે છે અને તે કર્મો પતે જ ભગવે
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy