________________
ચૈત્યવદન મહાભાષ્ય
एगंतापामने, तेसिं संविग्गगीयपुरिसाणं । तित्थे तित्थयरम्मि य, उप्पज्जइ संसओ नियमा ॥१२४॥ एकान्ताप्रामाण्ये तेषां संविग्नगीतपुरुषाणाम् । तीर्थे तीर्थकरे च उत्पद्यते संशयो नियमात् ।।१२४।।
જો તે સંવિગ્ન ગીતાર્થ પુરુષોને એકાંતે અપ્રામાણિક માનવામાં આવે તો તીર્થમાં અને તીર્થકરમાં અવશ્ય સંશય ઉત્પન્ન થાય.
વિશેષાર્થ – તીર્થકર થયા અને તેમણે તીર્થની સ્થાપના કરી એ બીના ગુરુ પરંપરાથી જ જાણી શકાય છે કારણકે એ બીનાને વર્તમાનના કોઈ પુરુષ પ્રત્યક્ષ જોઈ નથી. જો ગુરુપરંપરા અપ્રામાણિક હોય તો તેમણે કહેલી તીર્થંકર થયા અને તીર્થની સ્થાપના કરી એ વાતમાં અવશ્ય સંશય થાય. (૧૪)
जं भणसि सुत्तवृत्तं, पमाणमेयं पि वयणमेत्तं ते। जं जीयन्ववहारं, मुच्चसि तं सुत्तपयडं पि ॥१२५॥ यद्भणसि सूत्रोक्तं प्रमाणमेतदपि वचनमात्रं ते । यज्जीतव्यवहारं मुञ्चसि तत्सूत्रप्रकटमपि ।।१२५।।
સૂત્રમાં કહેલું પ્રમાણ છે એમ તું જે કહે છે તે પણ તારું વચનમાત્ર છે. અર્થાત્ તે તું હૃદયથી નથી કહેતો, કિંતુ માત્ર વચનથી કહે છે. કારણકે સૂત્રમાં જીતવ્યવહાર સ્પષ્ટ કહેલો હોવા છતાં તું તે જીતવ્યવહારને મૂકી દે છે. (૧૨૫)
गणहर-पुव्वधराईरइयं सुत्तं ति सच्चमेवेयं । तं मग्गमणुसरंतं, पमाणमो नवरमन्नं पि ॥१२६॥ गणधर-पूर्वधरादिरचितं सूत्रमिति सत्यमेवैतत् । तन्मार्गमनुसरत् प्रमाणं तु नवरमन्यदपि ।।१२६।।
ગણધર અને પૂર્વધર વગેરેએ જે રચેલું હોય તે સૂત્ર છે, એ સાચું જ છે. - કિંતુ બીજું પણ જે મોક્ષમાર્ગને અનુસરતું હોય તે પણ પ્રમાણ જ છે. (૧૨૬)