________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
કલ્પેલી યુક્તિઓથી તિરસ્કારે છે = દોષિત કહે છે તે પુરુષ ઘણા લોકોના ભાવને કલુષિત કરે છે. (૧૦૬)
धम्मत्थी मुद्धजणो, अउव्वभणियम्मि लग्गइ सुहेण । फुडमेयं मोहिज्जइ लोहिल्लो अलियवाईहिं ॥१०७॥ धर्मार्थी मुग्धजनोऽपूर्वभणिते लगति सुखेन । स्फुटमेतन्मोह्यते लोभी अलीकवादिभिः ।।१०७।। .
જે અપૂર્વ (= નવું) કહેવામાં આવે તેને ધર્માર્થી મુગ્ધલોક સુખપૂર્વક વળગી રહે છે = માની લે છે. લોકમાં આ વાત સ્પષ્ટ છે કે જુઠું બોલનારાઓથી લોભી માણસ મુગ્ધ કરાય છે છેતરાય છે. ' વિશેષાર્થ– લોકમાં કહેવત છે કે “જ્યાં લોભી માણસો વસતા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.” આ કહેવતનો ભાવ એ છે કે લોભી માણસો લોભના કારણે ધૂતારા માણસોથી છેતરાતા હોય છે. ધૂતારાઓ ખોટું ખોટું પ્રલોભન આપીને લોભી માણસોને ઠગે છે. તેવી રીતે ધર્મના વિષયમાં નવું નવું કહેનારાઓ મુગ્ધ ધર્માર્થી લોકને ઠગે છે. મુગ્ધ લોકમાં સત્યાસત્યનો વિચાર કરવાની તાકાત હોતી નથી, એથી કોઈ નવી વાત મૂકે એટલે વિચાર્યા વિના તે વાતને માની લેતા હોય છે. નવી વાત કહેનારને મુગ્ધ ધર્માથી લોક પાસે નવી વાતનો સ્વીકાર કરાવવા માટે મહેનત કરવી પડતી નથી, કારણકે મુગ્ધ ધર્માર્થી લોક નવી વાતને સહેલાઈથી સ્વીકારી લેતો હોય છે. માટે અહીં કહ્યું કે– જે અપૂર્વે કહેવામાં આવે તેને ધર્માથી મુગ્ધ લોક સુખપૂર્વક વળગી રહે છે = માની લે છે. (૧૦૭)
कह नाम भवारने, चिरकालं परियडिस्समेगागी। . इय मेलइ जणसत्थं, नियए बोहे असग्गाही ॥१०८॥ कथं नाम भवारण्ये चिरकालं पर्यटिष्याम्येकाकी। इति मेलयति जनसार्थं निजके बोधेऽसद्ग्राही ।।१०८।। સંસારરૂપી જંગલમાં હું એકલો લાંબા કાળ સુધી કેવી રીતે ભ્રમણ
४८