________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
કયાં ગયા? પ્રભુ મૌન હોવાથી ન બોલ્યા. બળદોને શોધવા ગોવાળ દૂર સુધી ગયો. ઘણું ફરવા છતાં બળદો ન મળવાથી તે શ્રીવીરપ્રભુ જ્યાં કાયોત્સર્ગમાં હતા ત્યાં જ ફરીવાર આવ્યો. તે પ્રભુની પાસે પહોંચ્યો તે પહેલાં જ બળદો ચારો ચરીને પ્રભુની પાસે આવી ગયા હતા. આથી ગોવાળે વિચાર્યું કે બળદો કયાં છે તેની આને ખબર હતી, છતાં મને ન કહ્યું, અને નિરર્થક મને રખડાવ્યો. આમ વિચારીને પ્રભુ ઉપર ગુસ્સે થયેલા તેણે પ્રભુના બન્ને કાનમાં કાષ્ઠના ખીલા એવી રીતે નાખ્યા, કે બેના છેડા અંદર પરસ્પર મળ્યા અને બહારથી દેખાય નહિ એ રીતે બરાબર કાપી નાખ્યા. આ કર્મ પ્રભુએ ત્રિપૃષ્ઠના ભવમાં ક્રોધથી શવ્યાપાલકના કાનમાં ઉકાળેલું સીસું રેડીને જે કર્મ બાંધ્યું હતું, તે વર્તમાનમાં ઉદયમાં આવ્યું. એ જ શવ્યાપાલક ભવમાં ભટકતો આ ગોવાળ થયો હતો, તેથી પૃર્વવૈરથી તેણે ખીલા ઠોક્યા. એ પીડાને સમભાવે સહતા પ્રભુ એકદા સિદ્ધાર્થ વણિકને ઘેર ભિક્ષાર્થે પધાર્યા. ત્યાં આવેલા ખરક નામના વૈધે પ્રભુના કાનમાં ખીલા છે એમ જાણ્યું અને પછી વણિક સાથે ઉદ્યાનમાં તે પ્રભુ પાસે આવ્યો. બન્નેએ મળીને ઘણા કષ્ટ બે સાણસાથી ખેંચીને ખીલા કાઢયા. તે ખેંચતી વખતે પ્રભુથી એવી મોટી ચીસ પડી કે સઘળું ઉદ્યાન ભયાવહ બન્યું. (૧૦૧)
जो मंदराग-दोसो, परिणामो सुद्धओ तओ होइ। मोहम्मि य पबलम्मि, न मंदया हंदि ! एएसिं ॥१०२॥ યો મજૂર-દ્વેષ: પUિTH: શુદ્ધ વસ્તતા મવતિ | मोहे च प्रबले न मन्दता हन्त ! एतेषाम् ।।१०२ ।।
જે પરિણામમાં રાગ-દ્વેષ મંદ હોય તે પરિણામ શુદ્ધ હોય છે. મોહ જ્યારે પ્રબલ હોય ત્યારે રાગ-દ્વેષ મંદ થતા નથી. (૧૦૨)
जो मोहकलुसियमणो, कुणइ अदोसे वि दोससंकप्पं । सो अप्पाणं वंचइ, ' पेयावमगो वणिसुउ व्व ॥१०३॥ यो मोहकलुषिमनाः करोत्यदोषेऽपि दोषसंकल्पम् । स आत्मानं वञ्चयते पेयावमको वणिक्सुत इव ।।१०३।।
४४