SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય આગળ ચાર પ્રેક્ષામંડપો કરાવ્યા. પ્રેક્ષામંડપોની આગળ એક એક મણિપીઠિકા રિચી. તેની ઉપર રત્નના ચૈત્યસ્તૂપ કરાવ્યા. દરેક ચૈત્યસ્તૂપની પાસે દરેક દિશાએ મોટી મણિપીઠિકા રચી. તે મણિપીઠિકાની ઉપર ચૈત્યસ્તૂપની સન્મુખ પાંચસો ધનુષ્યના પ્રમાણવાળી રત્નનિર્મિત ઋષભ, ચંદ્રાનન, વારિષણ, વર્ધમાન એ નામની ચાર પર્યકાસનવાળી જિન પ્રતિમાઓ સ્થાપન કરી. દરેક ચૈત્યસ્તૂપની આગળ માણિક્યરત્નની પીઠિકાઓ રચી. તે દરેક પીઠિકા ઉપર એક એક ચૈત્યવૃક્ષ ર. દરેક ચૈત્યવૃક્ષની પાસે બીજી એક એક મણિપીઠિકા રચી. અને તેની ઉપર એક એક ઈંદ્રધ્વજ રચ્યો. દરેક ધ્વજની આગળ નંદા નામની વાવડી રચી. સિંહનિષદ્યા નામના મહાચેત્યના મધ્યભાગમાં મોટી મણિપીઠિકા બનાવી. તેના મધ્યભાગમાં સમવસરણની જેમ વિચિત્ર રત્નમય એક દેવછંદક રચ્યો. તે દેવછંદકની ઉપર દરેક પ્રભુના પોતપોતાના દેહના માન પ્રમાણ અને પોતપોતાના દેહના વર્ણવાળી રત્નમય ચોવીસ જિનપ્રતિમાઓ સ્થાપી. (ત્રિ.શ.પુ.ચ.પર્વ ૧ના આધારે), (૪૬-૪૭). नंदीसरे वि दीवे, एसो चिय बाहिरो परीवारो। वन्निज्जइ सिद्धते, पडिमट्ठसयं च मज्झम्मि ॥४८॥ . नन्दीश्वरेऽपि द्वीपे एष एव बाह्यः परिवारः । '. वर्ण्यते सिद्धान्ते प्रतिमाष्टशतं च मध्ये ।।४८।। નંદીશ્વરદ્વીપમાં પણ બાહ્ય પરિવાર આ જ (અષ્ટાપદમાં છે તે જ) છે, અને મધ્યમાં એકસો આઠ પ્રતિમા છે, એમ સિદ્ધાંતમાં વર્ણન છે. (૪૮) . इय सुत्तपमाणाओ, आयरणाओ य एगभवणम्मि । सइ सामत्थे जुत्तं, कारवणमणेगबिंबाणं ॥४९॥ અતિ સૂત્રપ્રમાણતાવરતિરોમવને ! सति सामर्थ्य युक्तं कारणमनेकबिम्बानाम् ।।४९।। આ પ્રમાણે સૂત્રપ્રમાણથી અને આચરણાથી એક જિનમંદિરમાં શક્તિ હોય તો અનેક જિનબિંબોનું કરાવવું યુક્ત છે. (૪૯) .
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy