________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
એમાં મોટી આશાતના પ્રગટ (= પ્રત્યક્ષ) દેખાય છે. (૩૭)
बिंबं महंतमेगं, सेसाणि लहूणि कारयंतेण । - गरुयलहुत्तं तेसिं, पयडिज्जइ समगुणाणं पि ॥३८॥
बिम्बं महदेकं शेषाणि लघूनि कारयता । गुरुकलघुत्वं तेषां प्रकट्यते समगुणानामपि ।।३८।।
અનેક બિબો કરાવનાર મનુષ્ય એક બિંબ મોટું કરાવે છે અને બીજાં બિંબો નાનાં કરાવે છે. આનાથી એક ભગવાન મોટા અને બીજા ભગવાન નાના એવો ભેદ પ્રગટ થાય છે. બધા જ ભગવાન સમાન ગુણવાળા હોવા છતાં આમાં નાના-મોટાનો ભેદ પ્રગટ થાય છે. (૩૮)
पूआवंदणमाई, काऊणेगस्स सेसकरणम्मि । नायग-सेवगभावो, होइ कओ लोगनाहाणं ॥३९॥ पूजावन्दनादि कृत्वैकस्य शेषकरणे । नायक-सेवकभावो भवति कृतो लोकनाथानाम् ।।३९।।
એક મોટા જિન બિંબની પૂજા-વંદના કરીને બાકીના જિનબિંબોની પૂજા-વંદના વગેરે કરવામાં તીર્થકરોનો સ્વામી-સેવક ભાવ કરાયેલો થાય છે. - મોટો ભગવાન સ્વામી અને નાના ભગવાન તેમના સેવક એમ સ્વામી-સેવક ભાવ કરાયેલો થાય છે. (૩૯)
एगस्सायरसारा, कीरइ पूआऽवरेसि थोवयरी । एसावि महाऽवन्ना, लक्खिज्जइ निउणबुद्धीहि ॥४०॥ एकस्यादरसारा क्रियते पूजाऽपरेषां स्तोकतरा । एषाऽपि महाऽवज्ञा लक्ष्यते निपुणबुद्धिभिः ।।४०।।
એક બિંબની આદરપૂર્વક પૂજા કરાય અને બીજા બિબોની અતિ અલ્પ પૂજા કરાય એ પણ મોટી અવજ્ઞા છે એમ સૂક્ષ્મબુદ્ધિવાળા જીવો જુએ છે માને છે. (૪૦).
૨ ૧