________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
यथैकं जिनबिम्बं त्रीणि वा पञ्च वा तथा चतुर्विंशतिम् । सप्ततिशतमपि केऽपि कारयन्ति विचित्रप्रणिधानात्(नाः) ।।२६।।
જેવી રીતે કોઈ એક, ત્રણ કે પાંચ બિંબ કરાવે છે, તેવી રીતે કોઈ ચોવીસ કે એકસો સિત્તેર પણ જિનબિંબ કરાવે છે. કારણકે જીવોના આશયો (= અધ્યવસાયો) વિવિધ પ્રકારના હોય છે. (૨૬).
जिणरिद्धिदंसणत्थं, एगं कारेइ कोइ भत्तिजुओ।
पायडियपाडिहरं, देवागमसोहियं चेव ॥२७॥ - जिनर्द्धिदर्शनार्थमेकं कारयति कोऽपि भक्तियुतः । प्रकटितप्रातिहार्यं देवागमशोभितं चैव ।।२७।।
ભક્તિથી યુક્ત કોઈ જીવ જિનની ઋદ્ધિના દર્શન માટે પ્રાતિહાર્યવાળું અને દેવોના આગમનથી શોભિત એવું એક જિનબિંબ કરાવે છે.
વિશેષાર્થ – જિનની ઋદ્ધિનાં દર્શન માટે એટલે પ્રતિમાને જોતાં પ્રભુની અષ્ટપ્રાતિહાર્ય વગેરે બાહ્ય ઋદ્ધિનાં દર્શન થાય એ માટે. દેવાગમનથી શોભિત એટલે દેવોં ભગવાનની ભક્તિ કરી રહ્યા છે તેવો દેખાવ જેમાં હોય તેવું જિનબિંબ. (૨૭)
સંસ-ના-ચરિત્ત -ઇરાન્નેિ નિત્તિગં વફા परमेट्ठिनमोक्कारं, उज्जमियं कोइ पंच जिणे ॥२८॥ दर्शन-ज्ञान-चारित्राऽऽराधनकार्ये जिनत्रिकं कोऽपि । परमेष्ठिनमस्कारमुद्यमितं कोऽपि पञ्च जिनान् ।।२८।।
કોઈ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના નિમિત્તે ત્રણ જિનબિંબ કરાવે છે. પરમેષ્ઠિ નમસ્કારની (નમસ્કાર મહામંત્રની) આરાધના પૂર્ણ કરી હોય એ નિમિત્તે કોઈ પાંચ જિનબિંબ કરાવે છે. (૨૮)
कल्लाणयतवमहवा, उज्जमियं भरहवासभावि त्ति । बहुमाणविसेसाओ, केई कारेंति चउवीसं ॥२९॥ .
૧૭