________________
ચૈત્યવદન મહાભાષ્ય
जिणबिंबाभावे पुण, ठवणागुरुसक्खिया वि कीरंती । चिइवंदण च्चिय इमा, नायव्वा निउणबुद्धीहिं ॥१३॥ . जिनबिम्बाभावे पुनः स्थापनागुरुसाक्षिक्यपि क्रियमाणा ।
चैत्यवन्दना खल्विमा ज्ञातव्या निपुणबुद्धिभिः ।।१३।।
જિનબિંબના અભાવમાં સ્થાપનાગુરુની સાક્ષીએ પણ કરાતી આ જિનવંદનાને નિપુણ બુદ્ધિવાળા પુરુષોએ ચૈત્યવંદના જ જાણવી.
વિશેષાર્થ – જિનબિંબ સમક્ષ કરાતી હોવાથી જિનવંદનાને ચૈત્યવંદના કહેવામાં આવે છે, એમ બારમી ગાથામાં કહ્યું છે. આથી પ્રશ્ન થાય કે જે જિનવંદના સ્થાપનાગુરુની સાક્ષીએ કરાય તે જિનવંદના ચૈત્યવંદના કેમ કહેવાય ? કારણકે તે વંદના જિનબિંબની સમક્ષ થતી નથી. આ પ્રશ્નના ઉત્તરમાં અહીં જણાવ્યું કે સ્થાપનાગુરુની સાક્ષીએ પણ કરાતી જિનવંદનાને ચૈત્યવંદના જ જાણવી. (કારણકે હૃદયમાં તો હું જિનબિંબોને વંદન કરું છું એવો ભાવ રહેલો હોય છે.) (૧૩) .. अहवा जत्थ वि तत्थ वि, पुरओ परिकप्पिऊण जिणबिंबं ।
कीरइ बुहेहिँ एसा, नेया चिइवंदणा तम्हा ॥१४॥ अथवा यत्रापि तत्रापि पुरतः परिकल्प्य जिनबिम्बम् । જિયતે વધેરેષા જ્ઞય ચૈત્યવન્દ્રના તમામ્ In૨૪||
અથવા કુશળ પુરુષો જ્યાં ત્યાં પણ પોતાની સમક્ષ જિનબિંબને કલ્પીને જિનવંદના કરે છે, તેથી તેને ચૈત્યવંદના જાણવી. (૧૪)
तीसे करणविहाणं, नज्जइ सुत्ताणुसारओ किं पि । संविग्गायरणाओ, किंची उभयं पि तं भणिमो ॥१५॥ तस्याः करणविधानं ज्ञायते सूत्रानुसारतः किमपि । संविग्नाचरणातः किञ्चिदुभयमपि तद्भणामः ।।१५।। ચૈત્યવંદન કરવાનો કોઈક વિધિ સૂત્રાનુસારે અને કોઈક વિધિ
૧ ૨