SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય (૧) સંઘવાત્સલ્ય આદિથી તીર્થકર નામકર્મનો બંધ થતો હોવાથી તીર્થંકરપણામાં સંઘ નિમિત્ત છે. જો સંઘ જ ન હોય તો કોનું વાત્સલ્ય કરે ? સંઘ તીર્થંકરપણામાં નિમિત્ત હોવાથી તીર્થકરનો ઉપકારી છે. ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતાનું પાલન કરવું જોઈએ. નમસ્કાર દ્વારા સંઘનો વિનય કરવાથી કૃતજ્ઞતાધર્મનું પાલન થાય છે. . (૨) લોકો મોટા માણસો જેની પૂજા કરે તેની પૂજા કરે છે. આથી તીર્થકર સંઘને નમસ્કાર કરે તો લોકો તીર્થકરે પણ સંઘપૂજા કરી છે માટે આપણે તો અવશ્ય સંઘપૂજા કરવી જોઈએ એમ વિચારીને સંઘપૂજા કરે. " (૩) ધર્મનું મૂળ વિનય છે એ સૂચન કરવા. (૪) સંઘ તીર્થકરને પણ પૂજ્ય હોવાથી પચીસમો તીર્થકર કહેવાય છે. આથી પહેલા નંબરમાં તીર્થકર પૂજ્ય છે, અને બીજા નંબરમાં સંઘપૂજ્ય છે. (૬) ता एयसमायारो, कित्तिज्जंतो वि कुणइ कल्लाणं । पोंसेइ पुत्रमउलं, वायगगंथे जओ भणियं ॥७॥ तत एतत्समाचारः कीर्त्यमानोऽपि करोति कल्याणम् । पोषयति पुण्यमतुलं वाचकग्रन्थे यतो भणितम् ।।७।। - સંઘ તીર્થકરને પણ પૂજ્ય હોવાથી સંઘના આચારનું કથન (= : વર્ણન) પણ કલ્યાણને કરે છે, અને અનુપમ પુણ્યને પોષે છે. કારણકે વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજના ગ્રંથમા (પ્ર. ૨. ગા. ૧૨માં) નીચે પ્રમાણે (હવે પછીની આઠમી ગાથામાં કહેવાશે તે પ્રમાણે) કહ્યું છે. ' ' વિશેષાર્થ – સંઘના આચારોનું કથન પણ કલ્યાણને કરે છે એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-- સંઘના આચારોનું પાલન તો કલ્યાણને કરે જ છે, કિંતુ સંઘના આચારોનું માત્ર કથન (= વર્ણન કે ઉપદેશ) પણ કલ્યાણને કરે છે. (૭) . जे तित्थयरपणीया, भावा तयणंतरेहि परिकहिआ । बहुसो वि तेसि परिकित्तणेण पुनं लहइ पुढेिं ॥८॥
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy