________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
“સૂત્ર અને આચરણના અનુસારે કહીશ” એમ કહીને ગ્રંથકારે આ ગ્રંથમાં મારી સ્વતંત્ર બુદ્ધિથી નહિ, કિંતુ વીતરાગ પ્રણીત શાસ્ત્રોના અનુસારે અને (સંવિગ્ન ગીતાર્થ મહાપુરુષોએ કરેલી) આચરણાના અનુસારે કહીશ એમ જણાવ્યું છે. આનાથી ગ્રંથકારે એ પણ સૂચિત કર્યું છે કે- જેમ સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રો પ્રમાણ છે તેમ આચરણા પણ પ્રમાણ છે. આ વિષે પંચવસ્તુક ગ્રંથમાં (ગા. ૪૭૬) કહ્યું છે કે— “અશઠ (રાગ-દ્વેષથી રહિત) એવા પ્રામાણિક કોઈ ગીતાર્થે કોઈ તેવા પુષ્ટ આલંબનથી સ્વરૂપથી અંસાવઘ (= પાપથી રહિત) એવું જે કાંઈ આચરણ કર્યું હોય અને યોગ્ય હોવાથી જ તેનો અન્યગીતાર્થીએ નિષેધ ન કર્યો હોય તે આચરણ કહેવાય. આમ, આ આચરણા ઘણાઓને સંમત હોય.”
આ વિષે ધર્મરત્ન પ્રકરણમાં (ભાગ ૨. ગા. ૮૦) માર્ગાનુસારિણી ક્રિયાની વ્યાખ્યા કરતાં ક્યું છે કે— અહીં માર્ગ એટલે મુક્તિનો માર્ગ. મુક્તિ માર્ગના બે ભેદ છે. (૧) શાસ્ત્રમાં કહેલા આચાર્ચો. (૨) સંવિગ્ન ગીતાર્થોએ આચરેલું હોય તે. આવા પ્રકારના મોક્ષમાર્ગને અનુસરનારી ક્રિયા તે માર્ગાનુ
સારિણી ક્રિયા.
સંઘાચારઃ— સંઘ એટલે જિનાજ્ઞાને શિરસાવંદ્ય કરનાર સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ. સંઘે પાળવાના આચારો તે સંઘાચાર.(૫) संघो महाणुभावो, अमरिंद - णरिंदवंदिओ एसो । तित्थयरेहि वि नियमा, पणमिज्जइ देसणारंभे ॥ ६ ॥ सङ्घो महानुभावोऽमरेन्द्र-नरेन्द्रवन्दित एषः । तीर्थकरैरपि नियमात्प्रणम्यते देशनारम्भे || ६ ||
દેવેન્દ્રોથી અને ચક્રવર્તીઓથી વંદાયેલા અને મહાપ્રભાવવંત એવા સંઘને તીર્થંકરો પણ દેશનાના પ્રારંભમાં નિયમા નમસ્કાર કરે છે.
વિશેષાર્થઃ– તીર્થંકર ભગવંતો દેશનાના પ્રારંભમાં નો તિત્યસ્ત એમ કહીને શ્રીસંઘને નમસ્કાર કરે છે. તીર્થંકરો નીચેના ત્રણ કારણોથી સંઘને નમસ્કાર કરે છે.