SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય - પ્રવૃત્તિ કરતાં નથી. આથી વિચાર પૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષો શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે એ માટે પ્રયોજન કહેવું જોઈએ. આથી ગ્રંથકારે “સંક્ષેપથી કહીશ” એમ કહીને ગ્રંથરચનાનું પ્રયોજન જણાવ્યું છે. પૂર્વાચાર્યોએ વિસ્તારથી કહ્યું છે. હું સંક્ષેપથી કહીશ. સંક્ષિપ્ત ગ્રંથનું પઠન આદિ સુખ પૂર્વક થઈ શકે અને જલદી થઈ શકે વગેરે કારણોથી શ્રોતાઓ વિસ્તૃત ગ્રંથને છોડી આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરે. મંદમતિ જીવોને ચૈત્યવંદન સંબંધી સંઘાચારનો બોધ થાય એ પણ આ ગ્રંથ રચનાનું પ્રયોજન છે. આ પ્રયોજન ગ્રંથકારે નવમી ગાથામાં જણાવ્યું છે. - પ્રયોજનનું વિશેષ વર્ણન – પ્રયોજન અનંતર અને પરંપર એમ બે પ્રકારે છે. એ બંને પ્રકારના પ્રયોજનના કર્તા અને શ્રોતાની અપેક્ષાએ બે પ્રકાર છે. આથી પ્રયોજનના કુલ ચાર ભેદ થયા. કર્તાનું અનંતર પ્રયોજન- શિષ્યોને સંક્ષેપથી ચૈત્યવંદન સંબંધી - સંઘાચારનો બોધ. કર્તાનું પરંપર પ્રયોજન– પરોપકાર દ્વારા કર્મક્ષયથી મોક્ષ. શ્રોતાનું અતર પ્રયોજન– સહેલાઈથી ચૈત્યવંદન સંબંધી સંઘાચારનો બોધ. શ્રોતાનું પરંપર પ્રયોજન– (ચારિત્ર આદિથી) મોક્ષ પ્રાપ્તિ. સંબંધ – ગ્રંથના પ્રારંભમાં સંબંધ પણ કહેવો જોઈએ. “આ ગ્રંથનું આ ફળ છે” એવો જે યોગ (= ગ્રંથનો ફલની સાથેનો સંબંધ) તે સંબંધ કહેવાય છે. પ્રસ્તુતમાં સાધ્ય-સાધન સંબંધ છે. સાધ્ય એટલે જે સિદ્ધ કરવાનું હોય (= પ્રાપ્ત કરવાનું હોય) તે. બીજા શબ્દોમાં કહીએ તો સાધ્ય એટલે પ્રયોજન ફળ. સાધ્યને જે સિદ્ધ કરી આપે= પ્રાપ્ત કરી આપે તે સાધન. પ્રસ્તુતમાં ચૈત્યવંદન સંબંધી સંઘાચારનો બોધ સાધ્ય=પ્રયોજન છે. આ ગ્રંથ તેનું સાધન છે. આ ગ્રંથનો ફળની સાથે સંબંધ તે સાધ્ય-સાધન સંબંધ. મૂળ ગાથામાં સાધ્ય-સાધન રૂપ સંબંધનો સાક્ષાત્ નિર્દેશ કર્યો નથી. પણ મૂળ ગાથામાં પ્રયોજનનો નિર્દેશ કર્યો છે. પ્રયોજનના નિર્દેશથી સાધ્ય-સાધનરૂપ સંબંધનો પણ નિર્દેશ થઈ ગયો છે.
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy