________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
વધારનારા વાચિક નમસ્કારની જરૂર નથી.
ઉત્તરપક્ષ – વાત સત્ય છે. માનસિક નમસ્કાર આદિથી વિદ્ધવિનાશ થઈ જતો હોવા છતાં જો ગ્રંથના પ્રારંભમાં ઈષ્ટદેવનમસ્કારરૂપ મંગલ વાક્યનો ઉલ્લેખ ન કરવામાં આવે તો કોઈક પ્રમાદી શિષ્ય ઈષ્ટદેવનમસ્કારરૂપ મંગલ કર્યા વિના જ ગ્રંથનું અધ્યયન, શ્રવણ વગેરે કરે, આથી તેને વિઘ્નો આવવાનો સંભવ હોવાથી તેની તે ગ્રંથમાં પ્રવૃત્તિ ન થાય. ગ્રંથમાં મંગલ વાક્યનો ઉલ્લેખ કરવાથી પ્રમાદી શિષ્ય પણ મંગલ વાક્યના પાઠપૂર્વક અધ્યયન આદિ કરે. એ મંગલવચનથી થયેલા દેવ સંબંધી શુભ ભાવથી વિઘ્નો દૂર થવાથી શાસ્ત્રમાં નિર્વિને પ્રવૃત્તિ થાય છે. ગ્રંથના પ્રારંભમાં વાચિક નમસ્કાર કરવાથી બીજો લાભ એ થાય છે કે આ શાસ્ત્ર અમુક દેવે કહેલ આગમને અનુસરનારું છે માટે ઉપાદેય છે એવી બુદ્ધિ થાય છે. આથી શિષ્ય તેમાં પ્રવૃત્તિ કરે છે. આમ શિષ્ય પ્રવૃત્તિ માટે પણ ગ્રંથના પ્રારંભમાં મંગલવાક્યનો ઉલ્લેખ કરવાની જરૂર છે. કહ્યું છે કે
मंगलपुव्वपत्तो, पमत्तसीसोवि पारमिह जाई । सत्थे विसेसणाणा, तु गोरवादिह पयट्टेजा ।।१।।
“ગ્રંથના પ્રારંભમાં મંગલવચનના ઉલ્લેખથી પ્રમાદી શિષ્ય પણ મંગલપૂર્વક પ્રવૃત્તિ કરીને શાસ્ત્રના પારને પામે છે, તથા વિશેષ પ્રકારના (આ શાસ્ત્ર અમુક દેવે કહેલ આગમને અનુસરનારું છે એવા) જ્ઞાનથી ગૌરવપૂર્વક શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે.
વિષય – બુદ્ધિશાલી પુરુષો આ ગ્રંથમાં પોતાને ઈષ્ટ વિષય છે એમ જાણ્યા વિના ગ્રંથનું વાંચન કરે નહિ, એથી બુદ્ધિશાલી પુરુષો ગ્રંથને વાંચે એ માટે ગ્રંથનો વિષય (= અભિધેય) કહેવો જોઈએ. આથી ગ્રંથકારે “ચેત્યવંદન સંબંધી સંઘાચારને કહીશ” એમ કહીને આ ગ્રંથના વિષયનો નિર્દેશ કર્યો છે. ચૈત્યવંદન સંબંધી સંઘાચાર આ ગ્રંથનો વિષય છે = અભિધેય છે.
પ્રયોજન– વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા બુદ્ધિશાળી પુરુષો જે શાસ્ત્રમાં કોઈ પ્રયોજન (= શાસ્ત્રને રચવાનો હેતુ) જણાવવામાં ન આવ્યું હોય તેમાં