________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
ગંગા, સિંધુ અને રોહિતાંશા એ ત્રણ નદીઓ નીકળે છે. મહાહિમવંત કુલગિરિના મહાપદ્મદ્રહમાંથી રોહિતા અને હરિકાંતા નદી નીકળે છે. નિષેધ કુલગિરિના તિગિચ્છી બ્રહમાંથી હરિસલિલા નદી નીકળે છે. નીલવંત કુલિંગગિરના કેશરીદ્રહમાંથી નારીકાંતા નદી નીકળે છે. ડ્રિંક્સ કુલિંગરના મહાપુંડરીક દ્રહમાંથી નરકાંતા અને રૂપ્યકૂલા એ બે નદીઓ નીકળે છે. શિખરી પર્વતના પુંડરીક દ્રહમાંથી સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી એ ત્રણ નદીઓ નીકળે છે. આ બધી નદીઓ સમુદ્રમાં જઈને ભળી જાય છે.
જેમ આ રીતે કુલ ગિરિઓના મહાદ્રહમાંથી મહાનદીઓ નીકળે છે તેમ ગણધરોના મુખમાંથી દ્વાદશાંગી નીકળે છે. (૪)
नमिऊण समणसंघ, संघायारं समासओ वुच्छं । चेइयवंदणविसयं, सुत्तायरणाऽणुसारेणं ॥ ५ ॥ नत्वा श्रमणसङ्घ सङ्घाचारं समासतो वक्ष्ये । चैत्यवन्दनविषयं सूत्राऽऽचरणानुसारेण ।।५।।
શ્રી શ્રમણસંઘને નમીને ચૈત્યવંદન સંબંધી સંઘાચારને સૂત્ર અને આચરણાના અનુસારે સંક્ષેપથી કહીશ.
વિશેષાર્થઃ– દરેક ગ્રંથના પ્રારંભમાં મંત્લ, વિષય, પ્રયોજન અને સંબંધ એ ચારનો નિર્દેશ હોય છે. આ ચારને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે.
મંગલઃ– કોઈ પણ ઈષ્ટ કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં ઈષ્ટદેવને નમસ્કાર કરવો એવો શિષ્ટપુરુષોનો આચાર છે. તથા શુભ કાર્યોમાં ઘણાં વિઘ્નો આવવાનો સંભવ છે. ઈષ્ટદેવને નમસ્કાર કરવાથી વિઘ્નોનો નાશ થાય છે. ઈષ્ટદેવને નમસ્કાર કરવો એ મંગલ છે. અહીં ગ્રંથકારે શિષ્ટાચારનું પાલન કરવા અને વિઘ્નોના વિનાશ માટે ઉક્ત પાંચ ગાથાઓથી મંગલ કર્યું છે.
પૂર્વપક્ષઃ- ગ્રંથના પ્રારંભમાં વાચિક નમસ્કાર રૂપ મંગલ વાક્યનો ઉલ્લેખ કર્યા વિના જ માનસિક નમસ્કાર, તપશ્ચર્યા આદિ અન્ય મંગલથી જ વિઘ્નોનો વિનાશ થઈ જવાથી ઈષ્ટકાર્યની સિદ્ધિ થઈ જશે. આથી ગ્રંથનું કદ
૩