________________
ચૈત્યવદન મહાભાષ્ય
સર્વત્ર ચિત્ય પણ હોય જ. એમ, અપુનબંધકતાયોગમાં પણ પાપમાં તીવ્રભાવ અકરણ અને ભવ-અબહુમાનની જેમ ઉચિત પ્રવૃત્તિ પણ ખરી. એ પછી અધ્યાત્મ આદિ પાંચ યોગમાં ય પ્રારંભે ઔચિત્યપાલન ખરૂં. એવી રીતે દર્શન-જ્ઞાન ચારિત્ર-તપ રૂપ યોગ તથા જ્ઞાનાચારાદિ પંચાચારયોગમાં અને યમ-નિયમાદિ સહિત અષ-જિજ્ઞાસાદિથી સાધ્ય આઠ યોગદૃષ્ટિમાં પણ ઔચિત્ય પાયામાં જરૂરી છે.
‘વૈયાવચ્ચગરાણ' સૂત્ર પછી ‘વંદણવત્તિયાએ” સૂત્ર નથી બોલાતું, - કિન્તુ સીધું “અન્નત્ય ઊસસિએણે સૂત્ર બોલાય છે. એનું કારણ એ કે સમ્યગ્દષ્ટિ વૈયાવચ્ચદિ કરનાર દેવો અવિરતિવાળા છે. કાયોત્સર્ગ કરનાર વિરતિધર આત્માઓ ઊંચા ગુણસ્થાનકે હોઈ એમને વંદન કરે નહિ, એ આથી સૂચિત થાય છે. માટે એમની વંદના નિમિત્તે કાયોત્સર્ગ કરવાનો હોય નહિ.
સામાન્ય પ્રવૃત્તિથી પણ ઉપકાર
પ્રશ્ન- તો પછી એમના માટે કાયોત્સર્ગ એ તો સામાન્ય પ્રવૃત્તિ થશે, એથી શો લાભ?
ઉત્તર– સામાન્ય પ્રવૃત્તિરૂપે પણ આ રીતે કાયોત્સર્ગ કરવાથી ઉપકાર થાય છે એવું દેખાય છે. દા. ત. કોઈ વિઘ્ન-આપત્તિ વખતે શાસનદેવતા નિમિત્તે કાયોત્સર્ગ કરવાથી દેવતા હાજર થઈ વિધ્વ-નિવારણ કરી આપે છે. સુદર્શન શેઠ પર કલંક અને શૂલિએ ચઢવાનું વિઘ્ન આવ્યું. તો એમની પત્ની મનોરમાએ કાયોત્સર્ગથી શાસનદેવતાને આકર્ષ્યા, અને શૂળીનું સિંહાસન થયું, ને કલંક ટળી યશવાદ થયો ! માટે ‘વંદનાદિલાભરૂપ વિશેષ નિમિત્ત રાખ્યા વિના, ખાલી કાયોત્સર્ગરૂપી સામાન્ય પ્રવૃત્તિથી શું થાય ?’ એવી શંકા ન રાખવી; એમ પણ લાભ થાય છે એમાં આ સૂત્રવચન જ પ્રમાણ છે, એમ જ લાભ થવાનું સૂત્રથી પ્રમાણિત છે. (પરમતેજ ગ્રંથમાંથી સાભાર ઉદ્ધત) (૭૮૭)
पारियकाउस्सग्गो, परमेट्ठीणं च कयनमोक्कारो । વેચાવરા, ફેન્ન થરું નવઉપમુદ્દi I૭૮ટા .
૩૨૯