SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય અક્ષરોના સમુદાયમાં (પદમાં) પણ અર્થ ન હોય. જેમ કે રેતીના પ્રત્યેક કણિયામાં તેલ નથી તો તેને સમુદાયમાં પણ તેલ નથી. તથા પદોનો અર્થ સંકેત પ્રમાણે જોવામાં આવે છે. જે પદમાં જે સંકેત હોય તે પદનો તે અર્થ થાય છે. એમ વ્યવહારમાં જોવામાં આવે છે. તે પ્રમાણે અક્ષરોમાં પણ સંકેત હોવામાં કશો વાંધો નથી. અક્ષરોમાં પણ સંકેત હોય છે. જેમકે મે એટલે મનન કરવાથી અને ત્ર એટલે રક્ષણ કરનાર હોવાથી મંત્ર કહેવાય છે. અર્થાત્ જે મનન કરવાથી રક્ષણ કરે તે મંત્ર. અહીં મે અક્ષરમાં મનન એવો સંકેત છે અને ત્ર અક્ષરમાં રક્ષણ કરનાર એવો સંકેત છે. (૩૮૦-૩૮૧) इरियावहियासुत्तं, एत्तियमेत्तं अओ परं सेसं । उस्सग्गकरणसुत्तं, तस्स य एयारिसो अत्थो ॥३८२॥ ईर्यापथिकीसूत्रमेतावन्मात्रम्, अतः परं शेषम् । उत्सर्गकरणसूत्रं तस्य च एतादृशोऽर्थः ।।३८२।। ઈરિયાવિહયા સૂત્ર આટલું છે. હવે પછી બાકીનું કાયોત્સર્ગ કરવાનું સૂત્ર કહેવામાં આવે છે. તેનો આવો = હવે કહેવાશે તેવો) અર્થ છે. (૩૮૨) तेसि गमणागमाईसमत्थपावाण घायणणिमित्तं । उस्सग्गं ठामि अहं, उत्तरकरणाइहेऊहि ॥३८३॥ तेषां गमनाऽऽगमादिसमस्तपापानां घातननिमित्तम् । उत्सर्गं तिष्ठामि अहमुत्तरकरणादिहेतुभिः ।।३८३।। તે ગમનાગમન આદિથી થયેલા સર્વ પાપોના નાશ નિમિત્તે ઉત્તરકરણ આદિ હેતુઓથી હું કાઉસ્સગ્ન કરું છું. (૩૮૩). भणियं चखंडियविरहियाणं मूलगुणाणं सउत्तरगुणाणं । उत्तरकरणं कीरइ, जह सगड-रहंग-गेहाणं ॥३८४॥ भणितं च ૧૭૦
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy