________________
અહિંસા છે. ઉપયોગ પૂર્વક ચાલે છે માટે હેતુ અહિંસા છે. જીવ મરી જવાથી સ્વરૂપથી – બાહ્યથી હિંસા થઈ હોવાથી સ્વરૂપ અહિંસા નથી. (૬) હવે જો તે જીવ પ્રમાદના કારણે ઉપયોગ પૂર્વક ન ચાલે, છતાં જીવ ન મરે તો અનુબંધ અને સ્વરૂપ એ બે અહિંસા હોય. પણ હેતુ અહિંસા ન હોય. કારણ કે હિંસાનો હેતુ (=કારણ) પ્રમાદ રહેલો છે. આ જીવમાં અપ્રમાદ નથી, પ્રમાદ છે. (૭) હવે જો તે જીવ ઉપયોગપૂર્વક ન ચાલે અને જીવ મરી જાય તો તેને સ્વરૂપ અને હેતુ એ બે અહિંસા ન હોય, પણ અનુબંધ અહિંસા હોય. કારણ કે પ્રમાદ થઈ જવા છતાં અને જીવ મરી જવા છતાં અંતરમાં પરિણામ તો અહિંસાના જ છે.
પ્રશ્ન - ઉપયોગપૂર્વક ચાલે છતાં જીવો મરી જાય એ કેવી રીતે બને ?
- ઉત્તર :- ઉડતા પતંગિયા વગેરે જીવો સહસા પગનીચે આવી જાય ત્યારે અથવા સાધુ નદી ઉતરતા હોય વગેરે પ્રસંગે આવું બને. અહિં અનુબંધ અહિંસા હોય.
જે જીવ જિનવચન પ્રત્યે શ્રદ્ધાળુ બનીને મોક્ષના આશયથી યતના પૂર્વક જિનપૂજા કરે તેને માત્ર સ્વરૂપ હિંસા લાગે, હેતુ કે અનુબંધ હિંસા ન લાગે. હવે જોયતના વિના જિનપૂજા કરે તો હેતુ અને સ્વરૂપ એ બંને હિંસા લાગે. પણ અનુબંધ હિંસા ન જ લાગે. કારણ કે હિંસાના ભાવ નથી, ભાવ તો જિનપૂજાના જ છે. પુષ્પાદિથી જિનપૂજા કરતી વખતે જીવોને સામાન્ય કિલામણા વગેરે હિંસા થવા છતાં પૂજકને પુષ્પાદિકના જીવો પ્રત્યે હિંસક ભાવ ન હોય, કિંતુ દયાભાવ હોય?
યતનાથી જિનપૂજા કરનારને હિંસાનો અનુબંધ થતો નથી, અહિંસાનો અનુબંધ થાય છે. આ વિષે અધ્યાત્મસારમાં કહ્યું છે કે
सतामस्यास्कस्याश्चिद् यतना भक्तिशालिनाम् ।
अनुबन्धो हाहिंसाया जिनपूजादिकर्मणि ।। “યતનાપૂર્વક કરાતી જિનભક્તિથી શોભતા પુરુષોના જિનપૂજાદિ કાર્યોમાં થતી હિંસાથી અહિંસાનો અનુબંધ થાય છે=હિંસાથી પણ અહિંસાનું ફળ મળે છે.”
साधूनामप्रमत्तानां सा चाहिंसान्बन्धिनी ।
हिंसानुबन्धविच्छेदाद् गुणोत्कर्षों यतस्ततः ।। અપ્રમત્તમુનિઓની નદી ઉતરવા વગેરેની ક્રિયામાં થતી હિંસા અહિંસાનો અનુબંધ કરાવે છે. તેવી હિંસાથી હિંસાનો અનુબંધનો વિચ્છેદ થઈ જતો હોવાથી (અપ્રતિબદ્ધવિહાર વગેરે) ગુણોની વૃદ્ધિ થાય છે.”
- જો આ પ્રમાણે હિંસા-અહિંસાના પ્રકારો ન સમજે અને કેવળ બાહ્ય અહિંસા જોવામાં આવે તો મુનિ પણ અહિંસક ન બની શકે. કારણકે સૂક્ષ્મ હિંસા તો મુનિને પણ લાગે છે. જીવ વીતરાગ બને છે (=સર્વજ્ઞ બને છે) ત્યાર પછી પણ મોક્ષમાં ન જાય ત્યાં સુધી સૂક્ષ્મ હિંસા ચાલુ હોય. જો બાહ્યથી કોઈ પણ જાતની હિંસા ન થાય તો અહિંસક ભાવ આવે એમ માનવામાં આવે તો એકેન્દ્રિય જીવો બાહ્યથી કોઈ હિંસા કરતા નથી. તેથી તે જીવો અહિંસક બનવા જોઈએ. પણ તેમ નથી.