________________
(૧) જેના અંતરમાં અહિંસાના ભાવ નથી, તેવો જીવ ઉપયોગ વિના ચાલે અને જીવ મરી જાય તો તેને ત્રણે પ્રકારની હિંસા લાગે. અંતરમાં અહિંસાના ભાવ ન હોવાથી અનુબંધ હિંસા લાગે. ઉપયોગ વિના ચાલવાથી હેતુ હિંસા લાગે. જીવ મર્યો હોવાથી સ્વરૂપહિંસા પણ લાગે. (૨) જો અહીં જીવ ન મરે તો સ્વરૂપહિંસા સિવાય બે પ્રકારની હિંસા લાગે. સંસારમાં રહેલા લગભગ બધા જ જીવોને કયારેક ત્રણે પ્રકા૨ની તો ક્યારેક બે પ્રકારની હિંસા લાગ્યા કરે છે. (૩) હવે જો તે જીવ (જેના અંતરમાં અહિંસાના ભાવ નથી તે) ઉપયોગ પૂર્વક ચાલે અને જીવો ન મરે તો તેને એક જ અનુબંધ હિંસા લાગે.
પ્રશ્ન :- અંતરમાં અહિંસાના ભાવ ન હોય છતાં મારાથી જીવો ન મરે તેવા ઉપયોગ પૂર્વક ચાલે એ શી રીતે બને ? મારાથી જીવો ન મરે તેવો ઉપયોગ જ સૂચવે છે કે અંતરમાં અહિંસાના ભાવ છે.
ઉત્તર ઃ- આ વિષયને બહુ સૂક્ષ્મદષ્ટિથી સમજવાની જરૂર છે. મારાથી જીવો ન મરે એવા ઉપયોગ માત્રથી અહિંસાના પરિણામ છે એ નક્કી ન થાય. અહિંસાના પરિણામ છે કે નહિ તે જાણવા અહિંસાનું પાલન શા માટે કરે છે તે જાણવું જોઈએ. જેના અંતરમાં અહિંસાના પાલનમાં મોક્ષનો કે સ્વકર્તવ્યપાલનનો આશય હોય તેના જ અંતરમાં અહિંસાના પરિણામ હોય. જેના અંતરમાં અહિંસાના પાલનમાં ઉક્ત આશય ન હોય, કિન્તુ અન્ય કોઈ ભૌતિક આશય હોય, તો જીવ ઉપયોગ પૂર્વક ચાલતો હોય છતાં તેનામાં અહિંસાના પરિણામ ન હોય. બગલો પાણીમાં અને પાધિ જમીન ઉપર જરાય અવાજ ન થાય તેવા ઉપયોગ પૂર્વક ચાલે છે. પણ તેના અંતરમાં અહિંસાના પરિણામ નથી. અભવ્ય જીવો ચારિત્રનું પાલન સુંદર કરે છે. મારાથી કોઈ જીવ મરી ન જાય તેની બહુ કાળજી રાખે છે. દરેક પ્રવૃત્તિ ઉપયોગ પૂર્વક કરે છે. છતાં તેમાં અહિંસાના પરિણામ નથી. કારણકે તેનું ધ્યેય ખોટું છે. ચારિત્રના પાલનથી (=અહિંસાના પાનથી) તેને સંસારનાં સુખો જોઈએ છે. સંસારસુખ માટે જે જીવો અહિંસાનું પાલન કરે તેને સંસારનાં સુખો મળે અને પરિણામે તે જીવો વધારે પાપ કરનારા બને એથી પરિણામે હિંસા વધે.
આથી સંસારસુખની પ્રાપ્તિ વગે૨ે દુન્યવી આશયથી અહિંસાનું પાલન કરનાર જીવો ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરે અને કોઈ જીવ ન મરે એથી તેમને હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા હોય, પણ અનુબંધ અહિંસા ન હોય. આવી હેતુ અહિંસાથી હિંસા વધવા દ્વારા દુઃખ વધે.
(૪) જેના અંતરમાં અહિંસાના પરિણામ થયા છે તે મુનિ વગેરે જીવો ઉપયોગ પૂર્વક ચાલે અને જીવો ન મરે તો તેમને ત્રણે પ્રકારની અહિંસા હોય છે. ત્રણમાંથી એક `પણ પ્રકારની હિંસા ન હોય. (૫) હવે જો (જેના અંતરમાં અહિંસાના પરિણામ છે) તે જીવ ઉપયોગ પૂર્વક ચાલે છતાં જીવ મરી જાય ત્યારે તેને હેતુ અને અનુબંધ એ બે અહિંસા હોય, પણ સ્વરૂપ અહિંસા ન હોય. અંતરમાં અહિંસાના પરિણામ છે માટે અનુબંધ