________________
તરફ ક્રિયા કરે છે તેમણે આ વિચારવાની જરૂર છે. ઈશાનખૂણા તરફ ક્રિયા કરતાં ભગવાન દેખાતા નથી, કિંતુ ઈશાન ખુણો દેખાય છે. આમ છતાં મનમાં એમ રહે છે કે શ્રીસીમંધરસ્વામી ઈશાન ખૂણા તરફ છે માટે હું શ્રી સીમંધરસ્વામીની સમક્ષ ક્રિયા કરું છું. તેમ મૂર્તિ સમક્ષ પણ ક્રિયા કરતાં હું ભગવાનની સમક્ષ ક્રિયા કરું છું એમ મનમાં રહે છે. તથા મૂર્તિ પ્રત્યક્ષ દેખાતી હોવાથી મૂર્તિની સમક્ષ ક્રિયા કરવામાં વધારે સારો ભાવ આવે છે. ઈશાનખૂણા તરફ ક્રિયા કરવામાં ભગવાન ઘણા દૂર છે એમ મનમાં થાય છે. જ્યારે મૂર્તિની સમક્ષ ક્રિયા કરવામાં ભગવાન સામે જ બિરાજમાન છે એમ થાય છે. આથી મૂર્તિની સમક્ષ ક્રિયા ક૨વામાં વધારે લાભ થાય છે.
ટ મૂર્તિપૂજામાં હિંસાનું પાપ અલ્પ અને ધર્મ અધિક છ
આજે કેટલાકો હિંસાના નામે મૂર્તિપૂજાનો વિરોધ કરે છે એ યોગ્ય નથી. જો સૂક્ષ્મદ્રષ્ટિથી હિંસા અને અહિંસાને સમજવામાં આવે તો સ્પષ્ટ ખ્યાલમાં આવી જાય કે મૂર્તિપૂજામાં વાસ્તવિક હિંસા નથી. અહિંસાના અને હિંસાના હેતુ, સ્વરૂપ અને અનુબંધ એમ ત્રણ પ્રકાર છે.
હેતુ અહિંસા :- જયણા રાખવી, એટલે કે જીવો ન મરે તેની કાળજી રાખવી (=ઉપયોગ રાખવો), એ હેતુ અહિંસા છે.
હેતુ હિંસા :- જયણા ન રાખવી, એટલે કે જીવો મરે તેની કાળજી ન રાખવી (=ઉપયોગ ન રાખવો) એ હેતુ હિંસા છે. હેતુ એટલે કારણ, હિંસાનુ મુખ્ય કારણ અજયણા છે. જીવો ન મરે તેની કાળજી ન રાખવી એ અજયણા છે.
સ્વરૂપ અહિંસા :- જીવો ન મરે કે જીવોને દુઃખ ન થાય તે સ્વરૂપ અહિંસા. સ્વરૂપ હિંસા :- જીવો મરે કે જીવોને દુઃખ થાય તે સ્વરૂપ હિંસા. અનુબંધ અહિંસા :- અનુબંધ એટલે પરિણામ. જે પ્રવૃત્તિથી પરિણામે અહિંસા થાય તે અનુબંધ અહિંસા.
અનુબંધ હિંસા :- જે પ્રવૃત્તિથી પરિણામે હિંસા હોય, જેનું ફળ હિંસા હોય, તે અનુબંધ હિંસા. હેતુ હિંસા અને હેતુ અહિંસામાં મારાથી જીવહિંસા ન થઈ જાય તેની કાળજી (=તેનો ઉપયોગ) છે કે નહિ તેની મુખ્યતા છે. સ્વરૂપ હિંસા અને સ્વરૂપ અહિંસામાં જીવો મર્યા છે કે નહિ તેની મુખ્યતા છે. અનુબંધ હિંસા અને અનુબંધ અહિંસામાં ધ્યેયની મુખ્યતા છે. એટલે અહિંસાનું પાલન કરવામાં ધ્યેય શું છે અને થઈ રહેલી હિંસામાં ધ્યેય શું છે તેની મુખ્યતા છે.
આ ત્રણ પ્રકારની હિંસામાં હેતુ હિંસા અને અનુબંધ હિંસા પારમાર્થિક હિંસા છે. તેમાં પણ અનુબંધહિંસા મુખ્ય હિંસા છે. હવે ત્રણ પ્રકારની હિંસા અને અહિંસામાં કોને કેટલી અને કેવી રીતે હિંસા અને અહિંસા હોય તે વિચારીએ.