________________
ઉ મૂર્તિપૂજાના વિરોધીઓ પણ મૂર્તિ પૂજા કરે છે , મૂર્તિપૂજાનો વિરોધ કરનાર પણ એક યા બીજી રીતે મૂર્તિપૂજા કરે છે.
(૧) મુસલમાનો મસજિદમાં પીરની આકૃતિને પુષ્પ-ધૂપ વગેરેથી પૂજે છે. તાજિયા બનાવી એની સામે નૃત્ય વગેરે કરે છે. મક્કા-મદીના જઈને ત્યાં રહેલ એક ગોળ કાળા પથ્થરને ચુંબન કરીને પોતાનાં પાપોનો નાશ થયો એમ માને છે.
(૨) ઈસાઈઓ (ક્રિશ્ચિયનો) પણ દેવળમાં ઈશુની શૂળી ઉપર લટકતી મૂર્તિ (ક્રોસ) રાખે છે. તે મૂર્તિને પૂજ્યભાવથી જુએ છે. તેની સમક્ષ પ્રાર્થના કરે છે. શિર ઉપરથી ટોપી ઉતારી નમસ્કાર કરે છે. પુષ્પહાર ચઢાવે છે.
(૩) કબીર, નાનક, રામચરણ આદિ સંતોના અનુયાયીઓએ પોતપોતાના પૂજ્યોની સમાધિ બનાવી છે. એ સમાધિની પુષ્પાદિથી શ્રદ્ધાંજલિ આપવા દ્વારા પૂજા કરે છે. લોકો દૂર દૂરથી એ સમાધિનાં દર્શન કરવા આવે છે. " (૪) પારસીઓ પોતાના ઈષ્ટ અગ્નિદેવની પૂજા કરે છે, તેની સામે વાજા વગાડે છે, પુષ્પ, ઘી આદિથી હોમ કરે છે. સૂર્યને પણ પૂજે છે.
મૂર્તિ પણ ઉપકારક છે ન પ્રશ્ન- મૂર્તિ-જડ છે. આથી જેમ માટીની ગાયને દોહવાથી દૂધ ન મળે તેમ જડ મૂર્તિની પૂજાથી ચેતનને કશો લાભ ન થાય.
. ઉત્તર- માટીની ગાયને દોહવાથી દૂધ ભલે ન મળે, પણ તેને જોવાથી સાચી - ગાયની ઓળખ થાય છે. કોઈ જંગલીને ગાય કેવી હોય તેની ખબર ન હોય તો માટીના
આકારની ગાય બનાવીને સાચી ગાયની ઓળખ કરાવી શકાય છે. તેમ જિનમૂર્તિથી ભાવ અરિહંતની ઓળખાણ થાય છે. આથી મૂર્તિનાં દર્શન-કરવાં જોઈએ. આ પ્રશ્ન - મૂર્તિનાં દર્શનથી ભાવ અરિહંતની ઓળખાણ થાય છે. આથી તેનાં દર્શન કરવાં જોઈએ. પણ તેની પૂજા શા માટે ?
ઉત્તર- મૂર્તિ ભાવઅરિહંતની ઓળખાણ કરાવે છે, માટે ઉપકારક છે. માની લો કે તમને મહેનત કરવા છતાં નોકરી મળતી નથી. એવામાં કોઈ તમને જેને નોકરની જરૂર હોય એવા શેઠની ઓળખાણ કરાવી આપે અને નોકરી મળી જાય તો શેઠની ઓળખાણ કરાવી આપનાર ઉપકારી ખરો કે નહિ ? ખરો. બસ તેમ જિનપ્રતિમા ભાવ જિનની ઓળખાણ કરાવી આપે છે માટે ઉપકારક છે. આથી તેની પૂજા પણ કરવી જોઈએ.
આમ અનેક રીતે ભગવાનની મૂર્તિપૂજાથી લાભ જ છે.