SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ “ઉપદેશ-૮” ૧. પ્રાણોનો વિયોગ એ હિંસા છે અને બાહ્ય પ્રાણો એ પ્રાણીઓનું ધન છે. એમ પંડિત પુરુષો વડે કહેવાય છે. જેના વડે બીજાનું ધન હરણ કરાયું, તેના વડે પ્રાણો હણાયા છે. અહીં સુથારની પત્નીનું દૃષ્ટાંત છે. ૨૧૦૬. ૧. તામલિપ્તપુરમાં સૂદા-સૂરા-ખૂંટા અને સોના નામવાળા પ્રભાવશાળી ચતુર એવા ચાર શ્રેષ્ઠીઓ હતા. ૨૧૦૭. ૨. મોટા કુટુંબવાળા, ઘણા ધનવાળા, પરસ્પર પ્રીતિવાળા, સમાન વયવાળા, રાજાની સંભાના શણગારના હેતુભૂત - ૨૧૦૮. ૩. સરલ સ્વભાવવાળા, સર્વ ધર્મકાર્યમાં તત્પર એ પ્રમાણે એકબીજાનો વિચાર કરે છે. એક વખત એકાંતમાં વિચારે છે. ૨૧૦૯. ૪. ધન મેળવાયું, ભોગો ભોગવાયા, પુત્રો વિગેરે થયા. રાજાથી માન પણ પ્રાપ્ત થયું પરંતુ આત્માનું કાર્ય ન કર્યું. ૨૧૧૦. પ. અહીં શરીર સ્વસ્થ હોતે છતે નિરોગી હોતે છતે) બુદ્ધિશાળીઓ વડે ધર્મ કરવા યોગ્ય છે. ઘર સળગતે છતે કૂવો ખોદવાનું કોણ કરે ? ૨૧૧૧. ૯. એ પ્રમાણે વિચારીને પોતપોતાના ઘરની ચિંતા પોતપોતાના પુત્રોને સોંપીને સંન્યાસના વૈષવાળા તેઓ તીર્થયાત્રાને માટે ચાલ્યા. ૨૧૧૨. - ૭. લાખના મૂલ્યવાળા રત્નથી યુક્ત જુદી જુદી ઝોળીઓ ખભા પર ધારણ કરનારા તેઓ ધીરે-ધીરે માર્ગને ઓળંગે છે. ૨૧૧૩. ૮. તેઓ એક નગરમાં આવ્યા ત્યાં સુથારના ઘરે ભોજન કરીને અને તેમની સુથારની પત્નીને તે ઝોળીઓ ભળાવીને - ૨૧૧૪. ઉપદેશ સપ્તતિ ૨૬૯
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy