SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. રાજા પણ પરિવાર સહિત તે મુનિને વંદન કરવા માટે આવ્યો. મુનિ ભગવંતે સંસારની અસારતામય ધર્મ કહ્યો. ૪૧૨. * ૮. તે ચંડાળ માતા (જન્મ આપનાર માતા) પણ ત્યાં ગઈ અને રાજાને જોઈને ઝરતા દુધવાળી તેણી મોહિત થઈ. ખરેખર પુત્રનો સ્નેહ અત્યંત દુઃખેથી ઓળંગી શકાય એવો હોય છે. ૪૧૩. ૯ તેવા સ્વરૂપવાળી તેણીને જોઈને રાજાએ તે મુનિને પૂછ્યું, હે મુનિ ! આ કોણ છે ? અને આને વિષે મને મોહ શા માટે થાય છે? ૪૧૪. ૧૦. મુનિએ કહ્યું- હે કુમાર! આ તારી માતા છે. કારણ કે બહાર પડેલો તું મારા વડે મેળવાયો, તને પુત્ર રહિત એવા મારા વડે (તેને) રાજ્ય અપાયું. ૪૧૫. ૧૧. રાજાએ કહ્યું - હે પિતાજી ! તીનકુલમાં મારો જન્મ અથવા રાજ્યની . પ્રાપ્તિ શી રીતે સમભવે?આ સર્વ સમજાવીને કહો. ૪૧૯. ૧૨. મુનિએ કહ્યું - હે મહારાજ ! પૂર્વ ભવમાં તું ઘણી ઋદ્ધિવાળો, સર્વ વ્યવહારીઓમાં આગેવાન શ્રાવંક હતો. ૪૧૭. : ૧૩. તમે શ્રી જિનશાસનમાં દાન-ધ્યાન-તપ-પૂજા-પૌષધ આવશ્યક ક્રિયા * વિગેરે વડે ઘણા કાળ પર્યત પ્રભાવના કરી. ૪૧૮. . ૧૪. પરંતુ વિવેક રહિતપણા વડે આગલે દિવસે ભૂમિ પર સુગન્ધી દુર્ગન્ધી પુષ્પો વડે શ્રી જિનેશ્વર પરમાત્માને પૂજ્યા. ૪૧૯. - ૧૫. ક્યારેક સ્નાન કરેલ, ક્યારેક સ્નાન કર્યા વિના, પ્રાયઃ સારા અથવા ખરાબ વસ્ત્રો ધારણ કરીને પરમાત્માની પૂજા કરી. ૪૨૦. -ઉપદેશ સતતિ ૫૪
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy