________________
યત્ન ક્યાં કરવો? વિદ્યાભ્યાસ, સારા ઔષધ અને દાનમાં. અવજ્ઞા ક્યાં કરવી? દુર્જન, પરસ્ત્રી અને પરધનમાં. વાસ ક્યાં કરવો? સજ્જન પાસે અથવા કાશીમાં. કયા દેશનો ત્યાગ કરવો? જ્યાં લુચ્ચા માણસો હોય અને લોભી રાજા હોય તેનો. ૩-૪ कुले कलङ्कोऽपयशः पृथिव्यां मनोनुतापः स्वमहत्वनाशः। जन्मन्यमुष्मिन्न परत्र सौख्यं द्यूताच्चतुर्वर्गविनाश एव ।।५।। પોતાના કુલને કલંક લાગે, જગતમાં અપયશ ફેલાય, મનને સંતાપ થાય, પોતાના મહત્વનો નાશ થાય. એમ આ જન્મમાં તેમ પરજન્મમાં પણ જેનાથી સુખ ન જ મળે, એવા ધૂત(જુગાર)થી ખરેખર ચારે વર્ગોનો નાશ થાય છે. પણ कुदेशं च कुवृत्तिं च कुभार्यां कुनदी तथा । . . कुद्रव्यं च कुभोज्यं च वर्जयेत्तु विचक्षणः ॥६॥ કુદેશ, કુવૃત્તિ, કુસ્ત્રી, કુનદી, કુદ્રવ્ય અને કુભોજન, એ છએનો સુજ્ઞજનોએ ત્યાગ કરવો. કા कलासीमा काव्यं सकलगुणसीमा वितरणं,
भये सीमा मृत्युः सकलसुखसीमा सुवदना । तपःसीमा मुक्तिः सकलकृतसीमा श्रुतभृतिः.
प्रिये सीमा हलादः श्रवणसुखसीमा जिनकथा ।।७।। કલાઓની સીમા કાવ્ય, બધા ગુણોની સીમા દાન, ભયની સીમા મરણ, સમસ્ત સુખની સીમા સુલક્ષણી સ્ત્રી, તપની સીમા મુક્તિ, બધા કાર્યોની સીમા જ્ઞાનાભ્યાસ, પ્રિયજનની સીમા આનંદ અને શ્રવણસુખની સીમા જિનકથા છે. I. कुमन्त्र्यान्नृपतिविनश्यति यतिः सङ्गात्सुतो लालना
द्विप्रो नाध्ययनात्कुलं कुतनयाच्छीलं खलोपासनात् । हीमद्यादनवेक्षणादपि कृषिः स्नेहः प्रवासाश्रयान् ।