________________
सुप्ते तत्र शयीत तत्प्रथमतो जह्याच्च शय्यामिति; प्राच्यैः पुत्रि निवेदितः कुलवधूसिद्धान्तधर्मागमः ।।१२४।। પોતાનો પતિ ઘેર આવે ત્યારે અભ્યત્યાન કરવું, બોલવામાં તેની સામે નમ્રતા દર્શાવવી, તેના ચરણમાં દૃષ્ટિ થાપવી, આસન આપવું, તેની સેવા કરવી, તે શયન કરે ત્યારે પોતે સુવું અને તેની પહેલાં જાગ્રત થવું એ પ્રમાણે હે પુત્રી ! પૂર્વપુરુષોએ એ કુલીન કાંતાઓના સિદ્ધાંતના ધર્માગમ કહેલ છે. ૧૨૪ अधिकारात् त्रिभिर्मासै-महापापात् त्रिभिर्दिनैः । शीघ्रं नरकवाञ्छा चे-दिनमेकं पुरोहितः ।।१२५।।
અધિકારથી ત્રણ મહિનામાં અને મહાપાપથી ત્રણ દિવસમાં નરક મળે, છતાં શીઘ જો નરકની ઇચ્છા હોય તો એક દિવસ પુરોહિત થવું. ||૧૨પા.
अजातमृतमूर्खाणां वरमाद्यौ न चान्तिमः ।
सकृदुःखकरावाद्या-वन्तिमस्तु पदे पदे ।।१२६।। * જન્મ ન પામેલ, મરણ પામેલ અને મૂર્ખ એ ત્રણ પ્રકારના પુત્રોમાં પ્રથમના બે સારા કહેલ છે અને છેવટનો સારો નહિ. કારણકે પ્રથમના તો માત્ર એક જ વાર દુઃખ આપે છે અને છેવટનો(પૂર્ણ) તો પગલે પગલે દુઃખદાયક થઇ પડે છે. ll૧૨ડા
–ન્ક. ૨૭
–